સુશાંત સિંહ રાજપૂતની મોત તેના નજીકના લોકોને સૌથી મોટો આઘાત છે. સુશાંતે 14 જૂને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ત્યારે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ ઘેરા આઘાતમાં સરી પડી છે. ઘણાં વર્ષ રિલેશનશિપમાં રહ્યાં બાદ બંને લગ્ન કરવાના હતા પરંતુ અચાનક જ બંનેએ બ્રેકઅપ કરી લીધું.
સુશાંતની મોતથી તેના નજીકના લોકો ભાંગી પડ્યા
સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની હાલત થઈ ખરાબ
અંકિતાને ક્યાં ખબર હતી કે સુશાંત આ રીતે તેને રડતી મૂકીને જતો રહેશે. સુશાંતની મોતથી અંકિતા એ હદે ભાંગી પડી છે કે હજી સુધી તેની હાલત નોર્મલ થઈ નથી. અંકિતાની મિત્ર અને બિગ બોસ 13 ફેમ આરતી સિંહે તેની હાલત વિશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે સુશાંતને અંકિતા દ્વારા જ જાણતી હતી. તે ખૂબ જ સારો વ્યક્તિ હતો અને હમેશાં મોટિવેટ કરતો હતો. સુશાંતની મોત બાદ આરતીએ અંકિતાને કોલ કર્યો હતો.
આરતીએ જણાવ્યું કે, અંકિતાની હાલ હજી પણ સારી નથી. તે થોડા સમયમાં માટે એકલા રહેવા માંગે છે. તેને આ દુઃખમાંથી બહાર આવવા માટે સમયની જરૂર છે. જેથી આરતીએ કહ્યું કે, અંકિતાને હજી વધુ સમય આપવો જોઈએ.
તમને જણાવી દઈએ કે, સુશાંત અને અંકિતાની પહેલી મુલાકાત એકતા કપૂરના ટીવી શો પવિત્ર રિશ્તાના સેટ પર થઈ હતી અને અહીંથી જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સુશાંત અને અંકિતા લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. પણ ખબર નહીં કેમ અચાનક તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ બંને લગ્ન પણ કરવાના હતા. પણ હવે આ બધી વાતો ભૂતકાળ થઈ ગઈ છે.
હાલ સુશાંતની મોત અંગે મુંબઈ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને અત્યાર સુધી 35 લોકોનું નિવેદન નોંધવામમાં આવ્યું છે. ત્યારે હાલમાં જ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પણ આ કેસ મામલે પૂછપરછ કરવામાં આવી હતી.