વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને જો ઘરમાં ચીજ-વસ્તુઓ ગોઠવવામાં આવે તો ભાગ્ય ચમકવા લાગે છે. ઘરમાંથી નકારાત્મક ઊર્જા બહાર નિકળે છે અને સકારાત્મક વાતાવરણ ફેલાવા લાગે છે. તેના માટે તમારાં ઘરમાં લાગેલ અરીસો એટલે કે દર્પણ પણ મોટી ભૂમિકા ભજવે છે.
વાસ્તુશાસ્ત્રમાં અરીસાનું છે મહત્વ
ઘરમાં અરીસાની ગોઠવણી ચોક્કસ પ્રભાવ પાડે છે
દિશા અને સ્થળ ભજવે છે ખાસ પાત્ર
આજે એવું એકપણ ઘર નહીં હોય કે જ્યાં એક પણ અરીસો લગાવેલ ન હોય. લગભગ બધાંના ઘરે દર્પણ લાગેલો જ હોય છે. પરંતુ તો જો વાસ્તુના હિસાબે લગાવવામાં આવ્યું હોય તો વાસ્તુદોષનું નિવારણ થઇ શકે છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ પણ થઇ શકે છે.
બાથરૂમમાં અરીસો
સામાન્ય રીતે બાથરૂમમાં અરીસો રાખવાનું ટાળવું જોઇએ. પરંતુ જો જરૂરી જ હોય તો તેને દરવાજાની સામે ન લગાવવું. એટલે કે અરીસાનું રિફ્લેક્શન બાથરૂમની બહાર ન જવું જોઇએ તેનું ખાસ ધ્યાન રાખવું.
આ દિશામાં રાખવો અરીસો
અરીસાને હંમેશા પૂર્વ અને ઉત્તર દિશાવાળી દિવાલો પર લગાવવું જોઇએ. આ દરમિયાન એ ધ્યાન રાખવું કે તેમાં જોનારાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રહે. આ રીતે કરવાથી જીવનમાં ઉન્નતી થાય છે અને ધનલાભ પણ થઇ શકે છે.
સાફ અને તૂટેલ ન હોય તેવો દર્પણ
હંમેશા તમારા ઘરમાં તૂટેલ કે તિરાડવાળો અરીસો રાખવાનું ટાળવું જોઇએ. જો તીરાડવાળો અરીસો હશે તો ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. અરીસા હંમેશા વજનમાં હળવા અને મોટા આકારનાં લગાવવાં જોઇએ કારણકે અરીસાનો આકાર જેટલો વિશાળ તેનો તેટલો જ સારો પ્રભાવ પડે છે.
બેડરૂમમાં અરીસો ન લગાવવો
બેડરૂમમાં અરીસો સંભવ હોય તો ન લગાવવો જોઇએ. તેનાથી તમારાં સાંસારિક જીવન પર પ્રભાવ પડી શકે છે. ઘરનાં સદસ્યોને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો આવી શકે છે. જો બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ રાખવું જરૂરી હોય તો તેવી રીતે ગોઠવવું જોઇએ કે જેનાથી સુવાવાળા વ્યક્તિનું પ્રતિબિંબ તેમા દેખાય નહીં. જો તેવું પણ શક્ય નથી તો રાત્રે સુતાં પહેલાં તે અરીસાને કોઇ કપડાંથી ઢાંકી દેવું જોઇએ જેથી નેગેટિવ ઊર્જા આવે નહીં.