TRP કેસમાં CBIએ તપાસ શરુ કરી દીધી છે. આ પછી રિપબ્લિક ભારત ટીવી ચેનલ મુંબઈ પોલીસ કમિશનર પરમબિર સિંહની સામે ખૂબ આક્રમક થઇ ગઈ છે.
આ જ કારણ છે કે એન્કર અર્ણબ ગોસ્વામીએ TV કાર્યક્રમ દરમિયાન પરમબિર સિંહને સામસામે વાત કરવાનો પડકાર આપ્યો છે.
અર્ણબ ગોસ્વામીએ કહ્યું છે કે પરમવીર સિંહ TRP કાંડમાં ફસાઈ ગયા છે. મારા સહયોગીઓએ સવાલ કરો છો. મારી સાથે સામ સામે વાર કરો. તપાસ કરો. પરંતુ જો તમે મારા વિરુદ્ધ ખોટા આરોપ લગાવવાની કોશિશ કરી, જો બંધારણનું ઉલ્લંઘન કર્યું અથવા તમારી વર્દીની મર્યાદા ન રાખી તો યાદ રાખજો હું જ નહીં, આખું ભારત તમને માફ નહિ કરે.
આ તરફ એવા સમાચાર આવ્યા છે કે મુંબઈ પોલીસે ધારા 91 હેઠળ રિપબ્લિક મીડિયાને એક નોટિસ ફટકારી છે. આ નોટિસમાં પોલીસે ચેનલ પાસેથી તમામ આર્થિક, કોન્ટ્રેકચ્યુઅલ ડિટેઇલની સાથે બધા ટ્રાન્ઝેક્શનની ડિટેઈલ્સ માંગી છે.
ચેનલના CFOને 22 ઓક્ટોબરે નોટિસ ફટકારીને આ જાણકારી માંગવામાં આવી છે. આ નોટિસનો અર્થ એ છે કે હવે ચેનલે મુંબઈ પોલીસને બિલથી લઇને એડિટિંગ ખર્ચ, કર્મચારીઓના PFની ડિટેલ્સ, લોન, કર્મચારીઓની મેડિકલ ઇમર્જન્સી, કેમેરાનો ખર્ચ વગેરે તમામ હિસાબો પોલીસને આપવા પડશે.