અર્જુન કપૂરની ફિલ્મ સરદાર કા ગ્રેન્ડસન રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની કહાની દાદી અને પૌત્ર પર આધારિત છે. એક પૌત્ર તેની દાદીની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માંગે છે, પરંતુ આ ઈચ્છા પૂરી કરવામાં શું-શું થાય છે તે ફિલ્મની કહાની છે.
અર્જુન કપૂરના બાળકોને રમાડવા માંગે છે તેની દાદી
એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે જણાવી આ વાત
અર્જુને કહ્યું તે રિયલ લાઈફમાં તેની દાદીની એક ઈચ્છા પૂરી નથી કરી શકતો
હાલમાં જ અર્જુન કપૂરે જણાવ્યું કે તે રિયલ લાઈફમાં તેની દાદીની એક ઈચ્છા પૂરી કરી શકતો નથી. અર્જુન કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, મારી દાદીની ઇચ્છા પૂરી કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેમને પ્રપૌત્ર-પૌત્રી જોઈએ છે અને હું તે આપી શકિશ નહીં. હવે કપૂર ખાનદાનના બીજા લોકોએ તેમની આ ઈચ્છા પૂરી કરવી પડશે. અર્જુનની આ કમેન્ટ તેની બહેન સોનમ કપૂર તરફ ઈશારો કરે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ સોનમ અને આનંદે તેમની થર્ડ એનિવર્સિરી સેલિબ્રેટ કરી છે.
અર્જુને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને કૂતરાએ કરડી લીધો હતો. કૂતરાના કરડવાના નિશાન તેના શરીર પર રહી ગયો છે. તેણે કહ્યું હતું કે, અમારો સીન હતો કે હું ઘણા વર્ષો પછી ઘરે આવ્યો છું અને કૂતરાને લાગશે કે હું ઘૂસણખોર છું અને તે મને કરડવા આવશે. તેથી હું આ સીનના મુખ્ય હીરો એટલે કે બારૂદ (ડોગનું નામ) સાથે કેમેરાની બહાર ઘણો સમય પસાર કરતો હતો જેથી તે મારી સાથે કન્ફર્ટેબલ બને.
અર્જુને આગળ કહ્યું- અમે બારૂદ અને મારા કેટલાક રિટેક્સ લઈ રહ્યાં હતા કે ત્યારે જ કોઈ અસિસ્ટન્ટે માઈકમાં કહ્યું કે કરડી લે અને આ સાંભળીને બારૂદને લાગ્યું કે ઓર્ડર તેના માટે છે અને તેણે મને પગમાં કરડી લીધું. જ્યારે તેને કહ્યું કે હીલ એટલે કે આરામ ત્યારે તેણે મને છોડ્યો અને આ નિશાન મને લાઈફટાઈમ માટે મળી ગયો, જે મને બારૂદની યાદ અપાવશે.
અર્જુનનું ડિજિટલ ડેબ્યૂ
અર્જુન કપૂર સરદાર કા ગ્રેન્ડસન ફિલ્મથી ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેણે આ અંગે વાત કરતા કહ્યું-અત્યારે આપણે મહામારી સામે લડી રહ્યાં છે. આ કપરાં સમયે મારી ફિલ્મ રિલીઝ થવી અને લોકો સુધી પહોંચે તે માટે હું એક્સાઈટેડ છું. આ એક તક છે કે મારી ફિલ્મ અલગ અલગ ભાષાઓમાં સબટાઈટલ્સ સાથે જોવા મળશે.
અર્જુન કપૂરે ફિલ્મ ‘ઇશ્કઝાદે’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 11 મે 2012 ના રોજ રીલિઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આમાં તેમની સાથે પરિણીતી ચોપરાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાજ મોના કપૂરનું અવસાન માર્ચ 2012 માં થયું હતું.