સમાચાર એજન્સી ANIએ પોતાના સૂત્રોના હવાલેથી શુક્રવારે આ જાણકારી આપી હતી. ભારતની DGCIએ કોવોવૈક્સને 28 ડિસેમ્બરે વ્યસ્કોમાં ઈમરજન્સી સ્થિતિમાં મર્યાદિત ઉપયોગ માટે 9 માર્ચના રોજ 12-17 ઉંમરના બાળકો માટે અમુક શરતો સાથે ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
આ અગાઉ કોવિડ 19 કાર્યકારી ગ્રુપ NTAGIની સ્થાયી ટેકનિક ઉપ સમિતિએ ભલામણ કરી હતી કે, કોવોવૈક્સને 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે, જેના પર હવે મોહર લગાવામાં આવી છે.
એક એપ્રિલે થઈ હતી બેઠક
NTAGIએ કોવિડ 19 કાર્યકારી ગ્રુપની એક બેઠક એક એપ્રિલે થઈ હતી, જે દરમિયાન કોવોવૈક્સના આંકડાની સમીક્ષા કરવામાં આવી બતી. જે બાદ આ ભલામણ કરવામાં આવી હતી કે, રાષ્ટ્રીય કોવિડ 19 રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી શકાય છે, જેથી 12 વર્ષની ઉંમરના અને તેનાથી વધું ઉંમરના લોકોને રસી લગાવી શકાય. સિંહે કહ્યું હતું કે, પુણે સ્થિત કંપની એસએસઆઈ 900 રૂપિયા અને જીએસટીના હિસાથી પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવોવૈક્સ રસીના ડોઝ આપવા માગે છે અને કેન્દ્રના આ રસીની સપ્લાઈ કરવા માટે નિર્દેશની રાહ જોવાઈ રહી છે.
સીરમ ઈંસ્ટીટ્યૂટે 21 ફેબ્રુઆરી આપી હતી અરજી
એસઆઈઆઈમાં સરકારી અને નિયામક કેસના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે ડીસીજીઆઈને એક અરજી 21 ફેબ્રુઆરી હતી અને 12 થી 17 વર્ષના ઉંમરના બાળકોને કોવોવૈક્સના હિસાબે ઈયુએ માગ્યું હતું.માનવામા આવતું હતું કે, ઈયુએની અરજીમાં સિંહે કહ્યું કે, 12થી 17 વર્ષના લગભગ 2700 બાળકો પર કરવામાં આવેલા બે અધ્યયનના આંકડામાં દેખાય છે કે, કોવોવૈક્સ ખૂબજ પ્રભાવી, પ્રતિરક્ષાજનક અને સુરક્ષિત છે.