પાકિસ્તાનમાં વસતા હિંદુ ભારતીય પરિવારને હવે પાકિસ્તાનમાં રહેવું મુશ્કેલ બનતું જાય છે. જ્યારે તે પરિવાર હરિદ્વાર યાત્રાના 25 દિવસના વિઝા લઈ ભારત આવી ગયા છે. અને ભારતની નાગરિકતા આપવા માટે અપીલ કરી છે કારણકે હવે પાકિસ્તાનમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે તેવું તે પરિવારનું કહેવું છે.
રપ હિંદુ પરિવારો પોતાનો જીવ બચાવીને ભારત આવ્યા
બહેન-દીકરીઓને સરેઆમ ઉઠાવી જવાની ધમકીઓ મળતી રહે છે
વડાપ્રધાન મોદીને ભારતની નાગરિકતા આપવાની વાત કરી છે
દેશમાં નાગરિકતા સુધારા કાયદો અને સૂચિત એનઆરસી વિરુદ્ધ ચાલી રહેલા દેખાવો વચ્ચે પાકિસ્તાનથી રપ હિંદુ પરિવારો પોતાનો જીવ બચાવીને ભારત આવ્યા છે. રપ પરિવારોના ર૦૦ સભ્યો અટારી-વાઘા બોર્ડર થઇને ભારત પહોંચ્યા છે. તેઓ હરિદ્વાર જવા માટે રપ દિવસના વિઝા લઇને અહીં આવ્યા છે.
હિન્દુઓં માટે પાકિસ્તાનમાં રહેવું મુશ્કેલ
આ લોકોનું કહેવું છે કે પાકિસ્તાનમાં અમારા માટે જીવવું હવે મુશ્કેલ થઇ ગયું છે. તેમણે વડાપ્રધાન મોદીને ભારતની નાગરિકતા આપવાની વાત કરી છે. પાકિસ્તાનથી આવેલા લોકોનું કહેવું છે કે ત્યાં તેમની બહેન-દીકરીઓને સરેઆમ ઉઠાવી જવાની ધમકીઓ મળતી રહે છે અને હવે અમે પાકિસ્તાન પરત જવા માગતા નથી.
આ હિંદુ પરિવારો પોતાની ઘરગથ્થુ ચીજવસ્તુઓ કોથળામાં ભરીને અહીં આવ્યા છે. અકાલી દળના નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ મનજિંદરસિંહ સિરસા સરહદે ધાર્મિક ઉત્પીડનના કારણે પાકિસ્તાનથી ભાગીને અહીં આવ્યા હોવાનો દાવો કરનારા ચાર પરિવારોને આવકારવા માટે હાજર રહ્યા હતા.
મનજિંદરસિંહ સિરસાએ જણાવ્યું છે કે તેઓ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળશે અને આ પરિવારોમાંથી આ ચાર પરિવારોને તાત્કાલિક ભારતીય નાગરિકતા આપવા અનુરોધ કરશે. સરહદી અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે ગયા મહિનાની તુલનાએ આ મહિને પાકિસ્તાનથી આવનારા હિંદુઓની સંખ્યામાં ભારે વધારો થયો છે.
પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે એક પાકિસ્તાની હિંદુએ જણાવ્યું હતું કે નવો નાગરિકતા કાયદો લાગુ થયા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વસતા હિંદુઓને ભારતીય નાગરિકતા મળવાની આશા વધુ બળવત્તર બની છે.