દેશમાં કોરોના સંકટ વચ્ચે લોકડાઉન ચાલુ છે. જે 14 એપ્રિલ સુધી તે યથાવત રહેવાનું છે. આ દરમિયાન, અનેક સ્થળોએ લોકડાઉનનું ઉલ્લંઘન થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઘટનાને ધ્યાને લઇને સરકારે આવા લોકો સામે કડક પગલા લેવાનું નક્કી કર્યું છે.
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત
લોકડાઉન ભંગ કરનારને 2 વર્ષની થઇ શકે સજા
કેન્દ્ર સરકારે કહ્યું છે કે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ભલ્લાએ રાજ્યોને આઇપીસી કલમો હેઠળ લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારવાનો નિર્દેશ આપ્યો હતો.
દેશમાં કોરોના વાયરસનો કહેર
દેશમાં કોરોના વાયરસની મહામારીના કેસનો આંકડો વધી રહ્યો છે. દેશમાં આજે કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 1,965 થઇ ગઇ છે. જ્યારે અત્યાર સુધીમાં 50 લોકોના મોત થઇ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોના વાયરસથી હજુ પણ 1,764 લોકો સંક્રમિત છે. જ્યારે 150 લોકો કોરોનાથી ઠીક થઇ ચૂક્યા છે. ગત 24 કલાકમાં જ 328 નવા કેસ સામે આવ્યા છે અને 12 લોકોના મોત થયા છે.
ગૃહ મંત્રાલયે તબલીગી જમાતના 960 વિદેશીઓને બ્લેક લિસ્ટ કર્યા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાત (Tablighi Jamaat) વિરુદ્ધ કડક પગલા લીધા છે. આ જમાતમાં સામેલ 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દેવાયા છે.