વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોને સ્પેશ્યલ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. આ માટે એરપોર્ટ પર ડૉકટર્સની એક ટીમ નિયુક્ત કરવામાં આવી છે. ત્યારે ભજન સમ્રાટ તરીકે જાણીતા ગાયક અનુપ જલોટા હાલમાં જ પોતાના શોને લંડનમાં પતાવીને ભારત પરત ફર્યા છે.
મુંબઇ પરત ફરતી વખતે મુંબઇ એરપોર્ટ પર ડૉક્ટરની એક ટીમે તેમને અટેન્ડ કર્યા અને તેમના ટેસ્ટ કરાવ્યા. આ મામલે તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે.
I am in awe with the Medical Care offered by BMC for passengers who are 60+. I was taken to Hotel Mirage as I landed MUM from LDN ;a team of doctors was sent to attend me. I appeal each passenger landing here to cooperate and help in controlling the further spread #COVID19indiapic.twitter.com/y12ZssVyFP
અનુપ જલોટાએ જણાવ્યું કે "મને BMCની તરફથી મેડિકલ ચેકઅપ કરાવવાનું કહેવામાં આવ્યા છે. જે પણ 60થી વધુ ઉંમરના લોકો છે તેમને મુંબઇ એરપોર્ટ પર ઉતરીને આ ટેસ્ટથી પસાર થવું પડે છે. હું લંડનમાં શો કરીને પરત ફર્યો છું. અને જે પછી મને એરપોર્ટથી હોટલ મિરાઝ લઇ જવામાં આવ્યો અને તરત જ હા પાડી દીધી, ત્યાં મેં કહ્યુ મારી ઇમ્યૂનિટી 30 વર્ષના યુવાન જેવી છે. મેં 1500 એમજી વિટામિન C ની દવા 10 વર્ષથી ખાઇ રહ્યો છું. હું રોજ પ્રણાયમ કરું છું અને સાથે સાથે એક્સસાઇઝ કરું છું.''
સિંગરે આગળ કહ્યુ કે, તેઓ સરકારી નિયમો પ્રમાણે કામ કરતા હતા, ડોક્ટર્સની એક ટીમે મારી તપાસ કરી. હું મારા બીજા સાથી મિત્રોને પણ અપીલ કરું છું કે તે આ તપાસમાં પોતાનો સહયોગ આપે. જેથી કોરોના ફેલાવવાથી રોકી શકાય. અને તેના પર લગામ લાગે."
આ સિવાય મહારાષ્ટ્ર સરકાર અને ટૂરિઝમ તથા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટીવી અને વેબ ચેરમેન જેડી મેજિઠિયાથી ફોન પર વાતચીત કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ અંગે જાણકારી મેળવી છે.
આદિત્ય ઠાકરે ફોનની વાતચીતમાં કહ્યું કે જલ્દી જ ફિલ્મ, ટીવી અને વેબ ઇન્ડસ્ટ્રીની શૂટિંગ પ્રક્રિયા બંધ થવી જોઇએ. તો જેડી મેજેઠિયા પણ શૂટિંગ બંધ કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે તેવી જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે 19 માર્ચથી 31 માર્ચ સુધી ટીવી સેટ બંધ રાખવાના આદેશ છે. પણ તેમ છતાં કેટલીક સીરિયલનું શૂટિંગ ચાલુ છે જેથી ટેલિકાસ્ટમાં મુશ્કેલી ના આવે!