હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીજા દિવસે સ્પષ્ટતા કરી છે. અનિલ વિજે કહ્યું કે મને કોવેક્સીન લગાવતા પહેલા જ ડોકટરો જણાવ્યું હતું કે વેક્સીનનો બીજો ડોઝ 28 દિવસ બાદ લગાવામાં આવશે અને ત્યાર બાદ 14 દિવસ પછી એન્ટોબોડી બનશે. જો કે સાવચેતી રાખવા છતા હું કોરોના સંક્રમિત થયો. મારો હાલ સિવિલ હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે અને મારી તબિયત હાલ સારી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સમાચાર આવ્યાં હતા કે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજને એકવાર ફરી કોરોના થઇ ગયો છે. થોડા દિવસ પહેલાં જ કોરોના વાયરસની વેક્સીનનું ટ્રાયલ કરનારા મંત્રી એકવાર ફરી કોરોના વાયરસના સંક્રમિત જોવા મળ્યાં. અનિલ વીજે પોતે કોરોના સંક્રમિત અંગે જાણકારી આપી હતી.
मुझे कोवेक्सिन लगाने से पहले डॉक्टरों ने बता दिया था कि वेक्सिन दूसरी डोज 28 दिन के बाद लगने के 14 दिन बाद ही अन्टोबोडी बनेगी । पूरी एहतियात बरतने के बाद भी मैंकरना के काबू आगया । मेरा सिविल हस्पताल में इलाज हो रहा है ओर मैं ठीक महसूस कर रहा हूँ ।
અનિલ વીજે ટ્વિટ કી જણાવ્યું હતું કે હું કોવિડ-19 તપાસમાં કોરોના પોઝિટવ આવ્યો છું. હું સિવિલ હોસ્પિટલ અંબાલા કેંટમાં દાખલ છું. અહીં મારો ઇલાજ ચાલી રહ્યો છે. આ સાથે જ તેમણે અપીલ કરી હતી કે બધા જે મારા સંપર્કમાં આવ્યાં છે, તેઓ પોતાની કોરોનાની તપાસ કરાવી લે.
ઉલ્લેખનીય છે કે અનીલ વીજ એ વૉલંટિયરમાં સામેલ હતા જેમણે ભારત બાયોટેકની વેક્સીનના ત્રીજા ટ્રાયલ રાઉન્ડમાં ડોઝ લીધો હતો. ત્રીજા રાઉન્ડ માટે અનીલ વીજે જાતે પોતાનું નામ આપ્યું હતું.
Haryana minister Anil Vij announces he has tested positive for COVID-19.
On November 20, he was administered a dose of Covaxin at a hospital in Ambala, as part of its third phase trial. pic.twitter.com/34HVOIRoFK
આરોગ્ય મંત્રાલયની કો-વેક્સિનના ડોઝ મુદ્દે સ્પષ્ટતા
કો-વેક્સીનના ડોઝ બાદ હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજના સંક્રમિત થવા મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની કો-વેક્સીનના ડોઝ મુદ્દે સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે શરીરમાં એન્ટિબોડી બનતા સમય લાગે છે.
2 ડોઝ આપ્યા બાદ નિયત સમયે એન્ટિબોડી બને છે. મંત્રી અનિલ વીજે માત્ર કો-વેક્સીનનો એક જ ડોઝ લીધો છે. આરોગ્ય મંત્રી અનિલ વીજે 18 ડિસેમ્બરના રોજ બીજો ડોઝ લેવાના હતા. ઉલ્લેખનીય છે કે રસીના ડોઝ બાદ મંત્રી કોરોના સંક્રમિત થતા સવાલ ઉઠયા હતા.
ખરેખર વેક્સીન માટે 25 કેન્દ્રમાંથી 26 હજાર વૉલન્ટિયર્સ પર ટ્રાયલ થવાનું છે. ઇંડિયન કેન્સલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે ICMRની ભાગીદારીની સાથે આ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. જે વોલિન્ટિયર્સને વેક્સીનનો ડોઝ દેવામાં આવ્યો છે તે બધાને આવતા વર્ષ સુધી દેખરેખમાં રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વેક્સીનની પહેલી ડોઝ લેવાના 28 દિવસ બાદી બીજો ડોઝ આપવાનો હતો.
ગત 20 નવેમ્બરના રોજ કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાની પહેલી રસી ગૃહ મંત્રી અનિલ વીજને લગાવામાં આવી હતી. તેઓને અંબાલાના કેંટના નાગરિક હોસ્પિટલમાં આ રસી લગાવામાં આવી હતી.
પીજીઆઇ રોહતકની ટીમની દેખરેખમાં જ મંત્રી વિજે વેક્સીનની રસી લગાવામાં આવી હતી. ત્યાર બાદ અડધા કલાક બાદ તેમને દેખરેખમાં રાખવામાં આવ્યાં હતા. આ પહેલા રોહતક પીજીઆઇની ટીમે આરોગ્ય મંત્રી અનિલ વીજના લોહીનો નમૂનો લખ્યો હતો.