ખેડૂત આંદોલન / '...તો 50 વર્ષ સુધી કોઇ પણ સરકાર કૃષિ કાયદાને હાથ લગાવવાની હિંમત નહીં કરે' SC કમિટીના સદસ્યએ આપ્યું મોટું નિવેદન

anil dhanwant statement on agriculture laws

જો કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવે તો આગામી 50 વર્ષ સુધી કોઈ પણ સરકાર કૃષિ કાયદાઓને ફરી છંછેડવાની હિંમત કરી શકશે નહીં અને ખેડૂત મરતો રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદા અંગે રચાયેલી સમિતિના સભ્ય અનિલ ઘનવતે આ મોટું નિવેદન આપ્યું છે. આજે મળેલી સમિતિની પ્રથમ બેઠકમાં 21 જાન્યુઆરીથી ખેડૂતો સાથે વાતચીત શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ