દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ ત્રણ ચીની બેંકોથી લોનના કેસમાં પોતાની સંપત્તિને લઈને મોટો ખુલાસો કર્યો છે. શુક્રવારે બ્રિટનની કોર્ટમાં અનિલ અંબાણીએ કહ્યું કે તેમની પાસે કોઈ ખાસ સંપત્તિ નથી, તેઓ ઘરેણા વેચવા મજબૂર બન્યા છે. તેમનો ખર્ચ પણ ઘણો ઓછો છે અને તે પત્ની અને પરિવાર ઉઠાવે છેે. અત્યારે આવકનો કોઈ સ્ત્રોત નથી. તેઓ 1 કાર સાથે સાધારણ જીવન જીવી રહ્યા છે.
ઉદ્યોપગતિ અનિલ અંબાણી પાયમાલી પર તરફ
અનિલ અંબાણી ઘરેણાઓ વેંચવા બન્યા મજબૂર
ચીનની બેંકની લોન ન ચુકવી શકતા યૂકેની હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ
યૂકેની કોર્ટમાં અનિલ અંબાણીએ સ્વીકાર્યું કે તેઓ પાયમાલ થઈ ચૂક્યા છે. તેમની સંપત્તિને લઈને પણ તેમને ખુલાસો કર્યો અને સાથે જ કહ્યું કે અત્યારે હું ઘરેણાં વેચીને વકીલોની ફી ભરી રહ્યો છું. હું સાધારણ જીવન જીવવા મજબૂર છું.
આ 3 બેંકો પાસેથી લીધી હતી મોટી રકમ
ફેબ્રુઆરી 2012માં રિલાયન્સ કોમે 3 ચાઈના બેંક પાસેથી 700 મિલિયન ડોલરથી પણ વધારેની લોન લીધી હતી. તેની પર્સનલ ગેરેંટી અનિલ અંબાણીની હતી. કંપની દેવાદાર બની છે ત્યારે બેંકોએ વ્યાજની સાથે રકમ ચૂકવવા માટે કેસ કર્યો છે. લોન માંગનારામાં ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કર્મશિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્ઝિમ બેંક ઓફ ચાઈનાનો સમાવેશ થાય છે.
અત્યારે છેલ્લા 6 મહિનામાં અનિલ અંબાણી 9.9 કરોડ રૂપિયાના ઘરેણાં વેચી ચૂક્યા છે. તેમની પાસે 1 જ ગાડી બચી છે. તેમનો ખર્ચ પણ તેમનો પરિવાર ઉઠાવી રહ્યો છે. પાયમાલી તરફ અધોગતિ કરી રહેવા અનિલ અંબાણીએ કોર્ટમાં આ તમામ વાતો સ્વીકારી હતી.