વૃષભ રાશિમાં આ સમયે અંગારક યોગ બની રહ્યો છે. જ્યોતિષમાં આ યોગને અશુભ માનવામાં આવે છે જે રાહુ અને મંગળના સંબંધથી બને છે.
આજે બની રહ્યો છે અશુભ ફળ આપનારો અંગારક યોગ
વૃષભ રાશિના જાતકોએ રાખવાની રહેશે સાવધાની
જાણો અશુભ અંગારક યોગથી બચવાના ઉપાય અને મંત્ર
મંગળ જ્યારે રાહુની સાથે સંબંધ સ્થાપિત કરે છે તો અંગારક યોગનું નિર્માણ થાય છે. હાલમાં અંગારક યોગ વૃષભ રાશિમાં બન્યો છે. આ યોગના દરેક રાશિ પર પ્રભાવને જોઈ શકાય છે. આ યોગને શુભ યોગ માનવામાં આવતો નથી એટલા માટે આ રાશિના લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જેમની જન્મ કુંડળીમાં રાહુ અને મંગળ અશુભ સ્થિતિમાં છે તેઓ આ યોગની અશુભતા દૂર કરવા માટે મંગળવારે ખાસ ઉપાયો કરે તે આવશ્યક છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી પણ વિશેષ લાભ મળે છે.
અંગારક યોગનો રહે છે આવો પ્રભાવ
જ્યોતિષ અનુસાર જ્યારે અંગારક યોગનુ નિર્માણ થાય છે તો વ્યક્તિ ક્રોધિત રહે છે. જે ભાવમાં તેનું નિર્માણ થાય છે તે ભાવને પ્રભાવિત કરે છે. મંગળ એક ઉગ્ર ગ્રહ છે અને રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે. આ કારણે જ્યારે મંગળ અને રાહુનો સંબંધ બને છે તો આ યોગના કારણે વ્યક્તિના સ્વભાવમાં ઉગ્રતા આવે છે.
અંગારક યોગમાં રાખી લો આ વાતનું ખાસ ધ્યાન
આ યોગમાં વ્યક્તિએ અગ્નિથી બચવું. આ સાથે જ વાહન વગેરેનો પ્રયોગ સાવધાની સાથે કરવો. આ સમયે કોઈ પણ વિવાદની સ્થિતિથી બચવું. દામ્પત્ય જીવનમાં પણ તેનો પ્રભાવ પડે છે. આ માટે ધૈર્ય રાખવું. આ સાતે જ ભૂલો કરવાથી બચવું. હિંસા વગેરેથી દૂર રહેવું. ખોટી સંગતમાં આવવું નહીં અને નશાથી બચવું.
અંગારક યોગથી બચવા કરો આ ઉપાય
અંગારક યોગથી બચવા માટે ભગવાન શિવની પૂજા કરો અને સાથે જ અનામિકા આંગળીમાં તાંબાની વીંટી પહેરો. મંગળવારે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી પણ આ યોગમાં ખાસ લાભ મળે છે. મંગળવારે આ મંત્રના જાપનું ખાસ મહત્વ છે.