મેં વિચાર્યું નહતું કે મારે આ બધુ કરવું પડશે પણ આજકાલ મારા દિવસો આમ જ વીતે છે. પણ મને આ કરવામાં મજા આવે છે. -અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન ફરી એક વખત કોરોના સંક્રમિત થયા હતા
મારુ બાથરૂમ પણ મારે પોતે સાફ કરવું પડે છે.-અમિતાભ બચ્ચન
વિચાર્યું નહતું કે આવું પણ કરવું પડશે - અમિતાભ બચ્ચન
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફક્ત ફિલ્મોમાં જ નહીં પણ સોશ્યલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ રહે છે. સોશ્યલ મીડીયા દ્વારા અમિતાભ બચ્ચન તેના ફેન્સ સાથે તેના દિલની વાતો શેર કરતાં રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચન ફરી એક વખત કોરોના સંક્રમિત થયા હતા એ વાત બહાર આવી હતી. એ વાતની જાણ કરતાં એમને કહ્યું હતું કે કોરોનાને કારણે તેમના દિવસો વિતાવવા અઘરા થઈ ગયા છે. સાથે જ તેમણે એક નવો બ્લોગ પોસ્ટ લખીને ઘણી વાત શેર કરી હતી.
T 4391 - काम जब करते थे, तो सोचते थे छुट्टी कब मिलेगी ; छुट्टी मिली है तो सोचते हैं काम कब मिलेगा 🙏
કચરા-પોતા પણ મારે કરવા પડે છે
અમિતાભ બચ્ચને તેના બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, 'અને કોરોનાને કારણે મારે બધુ કામ જાતે જ કરવું પડે છે ત્યાં સુધી કે મારુ બાથરૂમ પણ મારે પોતે સાફ કરવું પડે છે. સવારે ઊઠીને બેડ પણ મારે જાતે બનાવો પડે છે અને કચરા-પોતા પણ મારે જાતે જ કરવા પડે છે. કબાટમાં કપડાં જાતે ગોઠવવા પડે છે. દરેક ફોન પણ મારે જ પર્સનલી ઉતાવવા પડે છે અને સવારનો ચા-નાસ્તો પણ મારે પોતે જ બનાવવો પડે છે. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફ જે ઉપાય કે એ ડૉક્ટર વિના મારે જાતે જ બધા પૂરા કરવા પડે છે.'
T 4388 - I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏
વિચાર્યું નહતું કે આવું પણ કરવું પડશે
આગળ એમને લખ્યું હતું કે, 'મે વિચાર્યું નહતું કે મારે આ બધુ કરવું પડશે પણ આજકાલ મારા દિવસો આમ જ વીતે છે. પણ મને આ કરવામાં મજા આવે છે. મારી મારા સ્ટાફ પર નિર્ભરતા ઓછી થઈ ગઈ છે. પણ એક વાત મને સમજમાં આવી ગઈ કે મારો સ્ટાફ મારી માટે કેટલ બધા કામ કરી આપતો હતો. એ વિચારીને મારા મનમાં એમના માટે માન વધી ગયું છે.'
અમિતાભ બચ્ચને મંગળવારે તેના સોશ્યલ મીડિયા દ્વારા પોતે કોરોના સંક્રમિત થયા હતા એ વાતની જાણકારી આપી હતી. કોરોનાને કારણે તેઓ આઈસોલેશનમાં છે અને તેના કારણે તેમના માટે દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ ગયો છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે - 'જ્યારે તમે કામ કરતા હતા, ત્યારે તમે વિચારતા હતા કે તમને ક્યારે રજા મળશે અને જ્યારે રજા મળે છેએ સમયે તમે વિચારો છો કે તમને ક્યારે કામ મળશે'.