ગૃહમંત્રી અમિત શાહે ઉતરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામના વખાણ કર્યા છે અને વિપક્ષને આવનાર ચૂંટણીમાં કારમાં પરાજય માટે તૈયાર રહેવાનું સૂચન કર્યું છે
ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રવાસે
CM યોગીના કર્યા ભરપેટ વખાણ
વિપક્ષ કારમી હાર માટે તૈયાર રહે : અમિત શાહ
આવનાર સમયમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે દરેક પક્ષો મતદારોનું દિલ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના ચાણક્ય ગણાતા દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હવે યુપી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. યુપી પ્રવાસ દરમિયાન અમિત શાહે યોગી આદિત્યનાથના ભરપેટ વખાણ કરતા કહ્યું કે યોગીએ ઉત્તર પ્રદેશની છાપ સુધારવાનો પ્રયાસ કર્યો છે. હવે અહી ગરીબોને સરકારી યોજનાઓનો લાભ મળતો થયો છે. યોગી સરકાર કોઈ જાતિ કે પરિવાર પૂરતી સીમીત નથી તે પ્રદેશના લોકોની ભલાઈ માટે કામ કરી રહી છે.
आज लखनऊ में 'उत्तर प्रदेश स्टेट इंस्टीट्यूट ऑफ फॉरेंसिक साइंसेज’ का शिलान्यास किया।
यह संस्थान फॉरेंसिक क्षेत्र में प्रशिक्षित मानव बल तैयार कर प्रदेश में पुलिस व न्याय प्रणाली के आधुनिकीकरण में अग्रणीय भूमिका निभाएगा।
'યુપીમાં કાયદાનું શાસન, ભાજપે રામ રાજ્ય સ્થાપ્યું'
ઉત્તર પ્રદેશની રાજધાની એવા લખનઉ શહેરમાં ફોરેન્સિક સાયન્સ ઇન્સ્ટીટ્યૂટના શિલાન્યાસ કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી હતી. અને યોગી આદિત્યનાથની સરકારના લેખાંજોખાં લોકો સમક્ષ રજૂ કર્યા હતા. સંબોધનમાં ભાજપના 4 વર્ષમાં થયેલા કામોનો હિસાબ આપ્યો હતો. તેમજ ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન યુપીમાં કાયદાનું રાજ સ્થાપિત થયું હોવાની વાત કરી હતી. પ્રદેશને વિકાસના રસ્તા પર લાવવાથી માંડીને 'રામ' રાજ્ય સ્થાપ્યા સુધીના અંશો તેમને સંબોધનમાં રજૂ કર્યા હતા.
'લોકોના સ્થળાંતરને રોક્યું'
2017માં રાજ્યમાં ભાજપની સરકાર સત્તા પર આવી તે પહેલા લોકો પશ્ચિમ યુપીથી સ્થળાંતર કરી રહ્યા હતા. રાજ્ય હુલ્લડગ્રસ્ત હતું, પરંતુ ચાર વર્ષના શાસન પછી, ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન સ્થાપિત થયું છે. યોગીના નેતૃત્વમાં રાજ્ય ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. યોગી આજ સુધી રાજ્યના સૌથી સફળ મુખ્યમંત્રી છે.
'વિપક્ષ કારમી હાર માટે તૈયાર થઈ જાય'
વિપક્ષના નેતાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે યુપીમાં ચૂંટણી આવતા જ નેતાઓ ઘરની બહાર આવે છે અને ખોટા ભાષણો આપે છે. આ નેતાઓ કોરોના દરમિયાન મુશ્કેલીઓ સામે લડી રહેલા લોકોને મદદ કરતા નથી. તેઓ ખેડૂતોની મુસીબતોમાં કામ કરતા નથી, પરંતુ ચૂંટણી આવતા જ તેઓ ખોટા આક્ષેપો કરવામાં માહિર થઈ જાય છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. રાજ્યને વિકાસના માર્ગે લઇ જવાનું કામ કરવામાં આવ્યું છે. હું તેમને કહેવા માંગુ છું કે વિપક્ષના નેતાઓએ ફરી એકવાર 2022 માં કારમી હાર માટે મન બનાવવું જોઈએ. ભાજપ ફરી અહીં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
મહિલાઓ પર દિવસે ગોળીઑ ધરબાતી
તેમણે કહ્યું કે મને પહેલાનું યુપી બહુ સારી રીતે યાદ છે. અહીં મહિલાઓ અસુરક્ષિત હતી. દિવસના પ્રકાશમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી. રાજ્યમાં માફિયાઓનું શાસન હતું. આજે 2021 માં હું યુપીમાં ઉભો છું, હું ગર્વથી કહું છું કે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશને આગળ લઈ જવાનું કામ કર્યું. સરકારી યોજનાઓને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડી છે। યોગી સરકારે 44 યોજનાઓને જમીન પર મૂકવામાં સફળતા મેળવી છે, જેના કારણે રાજ્યની ઓળખ વિકાસશીલ રાજ્યની બની ગઈ છે.
માફિયા રાજ અને જાતિ વાદ ખતમ કર્યો
અમિત શાહે વિપક્ષ પર આકાર પ્રહાર કર્યા કે ભાજપની સરકાર બન્યા બાદ યુપીમાં માફિયા રાજનો ખાત્મો બોલાવી દેવાયો છે. પ્રદેશમાંથી જાતિવાદને નાથવામાં મોટી સફળતા મળી છે.ગરીબ લોકોને હવે સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે. ભાજપ વિકાસના દમ પર એક વખત ફરી યુપીમાં પ્રચંડ બહુમતથી સરકાર બનાવશે તેવો દાવો પણ કર્યો હતો