પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડના પ્રવાસના ત્રીજા દિવસે 14મા ઇસ્ટ એશિયા શિખર સમ્મેલનમાં સામેલ થયા. આ બેઠકનો એજેન્ડા પૂર્વી એશિયાના દેશો સાથે સહયોગની દિશામાં સમીક્ષા કરવો તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને લગતા વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. જોકે આ બેઠકમાં ભારતે આરસીઇપીમાં સામેલ થવાથી ઈનકાર કરી દીધો છે. જે નાના વેપારીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે કેટલાક નેતાઓની પ્રતિક્રિયા આવી છે.
ગરીબોના કલ્યાણ માટે PM મોદી પ્રતિબદ્ધ: જે.પી નડ્ડા
મોદી સરકારે તેમના દબાણમાં આવીને આ નિર્ણય પરત લીધોઃ કોંગ્રેસ
RCEPમાં ભારતે હસ્તાક્ષર નહીં કરવાનો મામલે ગૃહમંત્રી અમિત શાહે PM મોદીના નિર્ણયને આવકાર્યો છે. ટ્વિટ કરીને PM મોદીના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. અમિત શાહે કહ્યું કે PM મોદીએ દેશના હિતોનું ધ્યાન રાખ્યુ અને કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા. ત્યારે કોંગ્રેસે કહ્યું કે તેમના દબાણમાં નરેન્દ્ર મોદી સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે.
અમિત શાહે આરસીઇપીમાં સામેલ ન થવાના નિર્ણય પર ટ્વિટ કર્યું. તેમણે ટ્વિટમાં લખ્યું કે, ભારતના આરસીઇપીમાં સામેલ ન થવાનો નિર્ણય પ્રધાનમંત્રી મોદીના મજબૂત નેતૃત્વ અને તમામ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રીય હિત પસંદ કરવાનો સંકલ્પ દેખાડે છે. જેનાથી ખેડૂતો, સુક્ષ્મ, લઘ અને મધ્યમ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ સેક્ટર, ફાર્માસ્યુટિકલ, સ્ટીલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને સમર્થન મળશે.
India’s decision to not sign RCEP is a result of PM @narendramodi’s strong leadership & unflinching resolve to ensure national interest in all circumstances.
It shall ensure support to our farmers, MSMEs, dairy & manufacturing sector, pharmaceutical, steel & chemical industries.
બીજા ટ્વિટમાં લખ્યું કે, ગત કેટલાક વર્ષોમાં પીએમ મોદીનું આ સ્ટેન્ડ રહ્યું છે કે તેઓ એવી ડીલ નથી કરતા જેમાં રાષ્ટ્રહિત ન હોય. આ ભૂતકાળ છોડીને આગળ વધવાની જેમ છે, જ્યાં નબળા યૂપીએ સરકારે વેપાર માટે જમીન ખોઇ નાખી અને રાષ્ટ્રહિતની રક્ષા પણ ન કરી.
PM @narendramodi’s firm stand over the years of not going ahead with a deal if our interests are not taken care off, is a welcome break from the past, where a weak UPA government ceded precious ground on trade and could not protect national interest.
BJPના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ પણ ટ્વિટ કર્યુ હતું. તેમણે કહ્યું કે, ગરીબોના કલ્યાણ માટે PM મોદી પ્રતિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય દબાણ સામે પણ PM ન ઝૂક્યા.
India did not bow down to global pressure and give away its economic interests unlike previous Congress led governments which opened Indian market through weak FTAs.
PM @narendramodi ji has again shown his commitment to safeguard the interests of the poor.
બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે, મોદી સરકારે તેમના દબાણમાં આવીને આ નિર્ણય પરત લીધો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે ભાજપ સરકાર જબરદસ્તી CREP કરાર પર હસ્તાક્ષર કરી દેશના ખેડૂતો, માછીમારો, નાના અને મધ્યમ ઉદ્યોગોના હિતોની બલી આપી રહી હતી. આજે અમિત શાહ પોતાની ખોટી પીઠ થપથપાવી રહી છે. તો તેમણે સનદ રહે કે કોંગ્રેસ વિરોધને લઇને સરકારે આ નિર્ણય પરત લેવો પડ્યો.
મહત્વનું છે કે, ભારત આરસીઇપી કરારમાં સામેલ નહીં થાય. પ્રધાનમંત્રી મોદી ભારતના હિતો સાથે કોઇ સમાધાન કરવા નથી માંગતા. રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે એ સમય ગયો જ્યારે વૈશ્વિક માર્કેટના દબાણથી ભારત નિર્ણય લેતું હતું. હવે ભારત એક ડગલું આગળ છે. વિશ્વના દેશોએ ભારતની સેવાઓ માટે તેમનું બજાર ખોલવું જોઇએ. આરસીઇપીનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે મુક્ત વેપારને પ્રોત્સાહિત કરવાનો છે.
અહીં આપને એ પણ જણાવી દઈએ કે, જો ભારત આ આરસીઇપીનો હિસ્સો બન્યું હોત તો તેની અસર ભારતના વેપાર ખાત પર મોટા પાયે પડી હોત. સાથે જ અન્ય દેશોની કંપનીઓને ભારતમાં મોટું બજાર મળ્યું હોત. આવું થવા પર ભારતની જ કંપનીઓ હાંસિયામાં ધકેલાય ગઈ હોત. વેપારીઓના વેપાર ધંધા પડી ભાંગ્યા હોત. સાથે-સાથે મોટા પ્રમાણમાં લોકો બેરોજગાર પણ બન્યા હોત. એકંદરે આ આરસીઇપીમાં સામે થવું ભારત માટે પોતાના જ પર પર કુહાડી મારવા સમાન હતું.