કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. આ બેઠકમાં છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલગાંણા, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપસ્થિત નહીં રહે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત છે જ્યારે અમિત શાહ નક્સલવાદના મુદ્દા પર યોજાનારી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકને લઇને બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચી ગયા છે.
જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી આજરોજ દિલ્હી પહોંચશે. જો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બેઠકથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે એવી સૂત્રોને માહિતી પ્રાપ્ત થઇ છે. આમ હવે કેન્દ્ર સરકાર આતંકવાદ બાદ નકસલીઓને રોકવા પ્લાન રજૂ કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નકસલ પ્રભાવિત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરશે. કાશ્મીર બાદ હવે નક્સલ પ્રભાવિત વિસ્તારને શાંત કરવા અમિત શાહ પોતાની રણનીતિ મુખ્યમંત્રીઓ સમક્ષ રજૂ કરશે.
દેશના નક્સલ પ્રભિવત રાજ્યના મુખ્યમંત્રીઓ વિજ્ઞાન ભવન ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ભાગ લશે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આતંકવાદ વિરુધ્ધ કેન્દ્ર સરકાર ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે.