ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવે કહ્યું કે અમિત શાહ ભારત સહિત આ પાડોશી દેશમાં ભાજપનો વિસ્તાર ઇચ્છે છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવે શનિવારના રોજ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નેપાળ અને શ્રીલંકા જેવા પાડોસી દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર ઇચ્છે છે.
ત્રિપુરાની રાજધાની અગરતલામાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતા બિપ્લવ દેવે કહ્યું કે આ પહેલા રાજ્યના પોતાના પ્રવાસ દરમિયાન અમિત શાહે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે ભાજપને ભારતની સરહદથી આગળ વિસ્તાર કરવો જોઇએ.
બિપ્લવ દેવે કહ્યું કે જ્યારેગૃહ મંત્રી અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે તેમની યોજના નેપાળ અને શ્રીલંકામાં પોતાની સરકાર બનાવાની છે.
પાર્ટીના કાર્યકર્તાઓ સંબેધન કરતા બિપ્લવ દેવે આ અંગેનું નિવેદન આપ્યું. બિપ્લવ દેવે કહ્યું કે જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ અમારી પાર્ટીના અધ્યક્ષ હતા, ત્યારે અમે ત્રિપુરાના પ્રવાસ દરમિયાન તેમને ગેસ્ટ હાઉસમાં મળ્યાં હતા.
અમે ગેસ્ટ હાઉસમાં વાત કરી રહ્યાં હતા ત્યારે અજય જમ્વાલ (ભાજપના ઉત્તર-પૂર્વ જોનલ સચિવ) એ કહ્યું કે ભાજપે કોઇપણ રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે હજુ પણ શ્રીલંકા અને નેપાલ બાકી છે. અમે આ દેશમાં પાર્ટીનો વિસ્તાર કરવો જોઇએ અને જીત મેળવવી જોઇએ.
રવિન્દ્ર સતબર્ષિકી ભવનમાં બોલતા કહ્યું કે ત્રિપુરાના મુખ્યમંત્રીએ અમિત શાહના નેતૃત્વ અને ભારતની સરહદ થી બાજપના વિસ્તાર માટે તેમની વલણની પ્રશંસા કરી.
બિપ્લવ દેવે કહ્યું, જેમની પાસે એટલી ઉર્જા છે, એવી દ્રષ્ટિ છે કે તેઓ બોલી રહ્યાં છે કે ભાજપને દુનિયાભરમાં વિસ્તાર કરવાની આવશ્યતાછે અને તેમના નેતૃત્વમાં ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. એવો રેકોર્ડ માત્ર કમ્યુનિસ્ટોની પાસે છે.