નરેન્દ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદનો પદભાર સંભાળી લીધો છે. આ સાથે જ મોદી કેબિનેટમાં અમિત શાહને ગૃહમંત્રી અને નિર્મલા સીતારમણને નાણામંત્રીની જવાબદારી સોંપાઇ છે. નિર્મલા સીતારમણે શુક્રવારે પોતાના મંત્રાલયનો પદભાર સંભાળી લીધો, પરંતુ અમિત શાહ ઔપચારિકરીતે ગૃહમંત્રી પદ સંભાળશે. આ વચ્ચે મોદી સરકારના આ બન્ને મંત્રીઓ માટે માઠા સમાચાર આવ્યા છે.
સૌપ્રથમ જો નવા ગૃહમંત્રી અમિત શાહની વાત કરવામાં આવે તો તેમને ગૃહ મંત્રાલય આપવાનું એલાન થયું કે જમ્મૂ કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની ખબર સામે આવવા લાગી. જમ્મૂ કાશ્મીરના ત્રાલમાં શુક્રવારે આતંકવાદી હુમલો થયો છે. અહીં સીઆરપીએફની 180 બટાલિયનના કેમ્પની પાસે આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું, જેમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે.
શુક્રવારે જ જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા જ્યારે બે પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયા. આ સિવાય જમ્મૂ કાશ્મીરના શોપિયા જિલ્લામાં પણ શુક્રવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ.
જીડીપી વિકાસ દર અને બેરોજગારી દરના આંકડા
બીજી તરફ નાણા મંત્રાલયનો પદભાર સંભાળનારા નિર્મલા સીતારમણની સામે પણ પહેલા જ દિવસે પડકાર સામે આવ્યા. શુક્રવારે જીડીપી વિકાસ દર અને બેરોજગારી દરના આંકડા સામે આવ્યા. બન્ને આંકડા નિરાશાજનક રહ્યા. નાણા વર્ષ 2018-19ની ચોથી ત્રિમાસિકમાં દેશમાં જીડીપીના વિકાસ દર ગત વર્ષ સમાન આંકડાથી ઘટીને 5.8 ટકા રહી ગયું છે. નાણા વર્ષ 2017-18 ચોથી ત્રિમાસિકમાં દેશની જીડીપી વિકાસ દર 7.7 ટકા હતી.
India's GDP growth rate for fourth quarter (January-March) slips to 5.8%, 6.8% in full financial year 2019 pic.twitter.com/1kGMoxAZLp
કેન્દ્રીય આંકડા કાર્યાલય દ્વારા શુક્રવારે રજૂ થયેલ આંકડાઓ અનુસાર નાણા વર્ષ 2018-19માં દેશની જીડીપી વિકાસ દર 6.8 ટકા રહ્યો, જે જીડીપી વિકાસ દર ગત પાંચ વર્ષ સૌથી નિચલા સ્તરે છે. ત્યારે પીએલએફએસ સર્વેના રિપોર્ટ અનુસાર, દેશમાં બેરોજગારી દર વધ્યો છે. આ વધીને 6.1 ટકા થઇ ગઇ છે.
Unemployment rate at 6.1% in financial year 2017-18 according to Labour Survey. pic.twitter.com/ZTr9RVhNny