ચૂંટણી નજીક છે ત્યારે જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ એક મોટું નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તિએ કહ્યું કે, જો અમિત શાહ 35-એ અને 370 પર ડેડલાઈન આપી રહ્યા છે, તો અમારી પાર્ટી પણ એક ડેડલાઈન આપે છે. અમે જમ્મૂ-કશ્મીરના વિલીનીકરણની સંધિ ખતમ કરવાની ડેડલાઈન આપીએ છીએ. મહેબૂબા મુફ્તિએ આજે જમ્મૂ-કશ્મીરના અનંતનાગથી પોતાનું નામ ઉમેદવારી પદ તરીકે નોંધાવ્યું છે.
મહેબૂબા મુફ્તિએ એવું પણ કહ્યું કે, અમિત શાહ દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે કે તેઓ કલમ 370ને ખતમ કરશે. પીએમ મોદીને આશા છે કે આનાથી પાકિસ્તાન ખતમ થઈ જશે. દેશ આગળ વધીને રોજગારી, મોઘવારી જેવા મુદ્દે વાતચીત કરવા માગે છે પણ ભાજપ હજુ પાકિસ્તાન સિવાય બીજુ કંઈ નથી વિચારી રહી. આ ચૂંટણીમાં મૂળ મુદ્દાઓ ભૂલીને તેઓ ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે.
મહેબૂબા મુફ્તિના વિવાદિત બોલ ?
જમ્મૂ-કશ્મીરમાં પીડીપીના નેતા મહેબૂબા મુફ્તિએ આપેલા વિવાદિત નિવેદનથી રાજકીય વાતાવરણ તંગ જોવા મળી રહ્યું છે. મહેબૂબા મૂફ્તિએ એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે, તેમની પાર્ટી સત્તામાં આવશે તો JKLF અને જમાત-એ-ઈસ્લામી પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.