ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે જેમાં વલણ જોતા રાજ્યમાં JMM-કોંગ્રેસ ગઠબંધનને બહુમતિ મળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે ભાજપના આંતરિક સર્વેમાં પાર્ટીને 30-32 બેઠક મળવાની વાત કરી હોવાનું સૂત્રોને જાણવા મળ્યું છે.
અમિત શાહે 25 દિવસ પર પરિણામને લઇને કરી હતી ભવિષ્યવાણી
ચૂંટણી સભામાં 15-20 હજારની ભીડ પર કરી હતી ટીપ્પણી
આટલી ભીડથી કોઇ ધારાસભ્ય ન બની શકે
જો કે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે 25 દિવસ પહેલા ચૂંટણી સભાને સંબોધન કરતાં રાજ્યમાં પોતાની જ પાર્ટીની હારની ભવિષ્યવાણી કરી હતી.
અમિત શાહે 28 નવેમ્બરના રોજ ચતરામાં ચૂંટણી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા, પરંતુ ભીડ ઓછી જોઇને સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓથી નારાજ જોવા મળ્યાં હતા. જો કે અમિત શાહે મંચ પરથી જ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે શું 15-20 હજારની ભીડ જમા કરીને ધારાસભ્ય બની જવાશે?
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંચ પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે મને મુર્ખ ન બનાવો, હું પણ વાણિયો છું અને એટલું ગણિત જાણું છે કે આટલી ભીડથી કોઇ ધારાસભ્ય ન બની શકે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાષણ દરમિયાન કહ્યું હતું કે, જુઓ ભાઇ 10-15 હજાર લોકોની ભીડથી શું જીતી શકાશે? નહીં-નહીં ભાઇ, ન જીતી શકાય. મને પણ ગણિત આવડે છે. હું પણ વાણિયો છું. મને મુર્ખ બનાવો નહીં.
મોદીજીને આશીર્વાદ આપશો? ફરીથી રઘુવર સરકાર બનાવશો? અમિત શાહે ભાષણ દરમિયાન કહ્યું કે મને વચન આપો કે 25-25 લોકોને ફોન કરજો. મામા, મામી, કાકા, કાકી, ફુઆ, ફૈબા, દાદા, દાદી, ભાઇ, ભાભી કુલ 25 લોકોને ફોન કરવાનો છે અને કહેવાનું છે કમળ પર બટન દબાવો.