રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવના વોટિંગમાં ભાગ ન લેવા પર અમેરિકા, ભારતથી નારાજ નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ મતદાન બાદ અમેરિકાએ ભારતના વલણને OK ગણાવ્યું છે.
રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે જંગ
રશિયા વિરુદ્ધ લાવવામાં આવ્યો નિંદા પ્રસ્તાવ
ભારત વોટિંગથી દૂર રહ્યું
રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવના વોટિંગમાં ભાગ ન લેવા પર અમેરિકા, ભારતથી નારાજ નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ મતદાન બાદ અમેરિકાએ ભારતના વલણને OK ગણાવ્યું છે. અમેરિકાએ એવું પણ કહ્યું કે, ભારત રશિયા સંબંધમાં આપણાં જેવા નથી. ભારત અમારો મિત્ર છે.
રશિયા વિરુદ્ધ વોટમાં ભારતે ભાગ ન લીધો
યુક્રેન પર હુમલાને લઈને શુક્રવારે UNSCમાં બેઠકમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ થયો હતો. નિંદા પ્રસ્તાવના પક્ષમાં 11 પક્ષમાં અને 1 વોટ વિપક્ષમાં પડ્યો છે. ભારત, ચીન અને UAEએ વોટિંગમાં ભાગ લીધો નહોતો. સુરક્ષા પરિષદમાં આ પ્રસ્તાવ અમેરિકા તરફથી રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ સુરક્ષા પરિષદમાં પાસ થઈ શક્યો નહીં, કારણ કે સ્થાયી સભ્ય રશિયાએ તેના પર વિટો લગાવ્યો હતો. ભારતે વોટ ન કર્યા બાદ એવું માનવામાં આવતું હતું કે, અમેરિકા આ વાતથી નારાજ થઈ જશે. જો કે, એવું થયુ નહીં.
ભારતનું વોટિંગમાં ભાગ લેવો યોગ્ય
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, અમે દરેક દેશને રશિયાને યુદ્ધ કરતા રોકવા માટે કહ્યું હતું. વોટિંગ્ટનમાં પોતાની નિયમીત પ્રેસ કોન્ફ્રેંસમાં પ્રાઈસે કહ્યું કે, અમેરિકા, ભારત મહત્વપૂર્ણ હિત તથા મૂલ્ય શેર કરે છે. અમે જાણીએ છીએ કે, ભારત રશિયા સાથે અલગ સંબંધો ધરાવે છે, જો કે, તે એવા નથી, જેવા રશિયા સાથે અમારે છે. ત્યારે આવા સમયે ભારતનું વોટિંગમાં ભાગ લેવો યોગ્ય છે.
પ્રાઈસે આગળ કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે રક્ષા અને સુરક્ષા સહિત કેટલાય ક્ષેત્રોમાં એક સારો સંબંધ છે. જે અમારા જેવા નથી. અમે રશિયા સાથે સંબંધ રાખનારા દરેક દેશને કહ્યું હતું કે, તે પોતાના સંબંધનો ઉપયોગ કરતા વિશ્વ વ્યવસ્થા જાળવી રાખવા માટે મનાવે.
ભારતે રશિયા વિરુદ્ધ વોટ ન કર્યો તેની પાછળના 3 મુખ્ય કારણો
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રિપ્રેઝેંટેટિવ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, એ વાતનો અફસોસ છે કે, ડિપ્લોમૈસીનો રસ્તો છોડી દેવામાં આવ્યો છે, આપણે તેના પર પાછા આવવું પડશે. આ તમામ કારણોથી ભારતે આ પ્રસ્તાવથી દૂર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો
તિરૂમૂર્તિએ કહ્યું- તમામ સભ્ય દેશોના કંસ્ટ્રક્ટિવ રીતે આગળ વધવા માટે યુએનના સિદ્ધાંતોનું સન્માન કરવું જરૂરી છે. આપસી મતભેદ અને વિવાદના નિવારણ માટે ડાયલોગ એકમાત્ર રીત છે, જો કે હાલના સમયમાં તે મુશ્કેલ લાગી રહ્યું છે.
ભારતે કહ્યું કે, યુક્રેનમાં હાલના ઘટનાક્રમથી ભારત બહું વધારે પરેશાન છે. હિંસા અને દુશ્મનીને તાત્કાલિક ખતમ કરવાની તમામ કોશિશ કરવામાં આવે. માણસના જીવની કિંમત પર કોઈ હલ નિકાળી શકાય નહીં.