અમદાવાદ મ્યુ. કમિશ્નર દ્વારા વધુ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં AMCના અધિકારીઓને પોતાની પ્રોપર્ટી ડિક્લેર કરવા માટે ચેતવણી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ પરિપત્રમાં અધિકારીઓને પોતાની ડિસેમ્બર-2018 સુધીની મિલ્કતોની માહિતી આપવા આદેશ કરાયો છે. તેમજ જો તેઓ પોતાની મિલ્કતોની માહિતી નહીં આપે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે, અમદાવાદ મ્યુ. કમિશ્નર દ્વારા અગાઉ 2 પરિપત્ર જાહેર કર્યા બાદ પણ માહિતી અપાઈ ન હતી. 750 પૈકી 50 અધિકારીઓએ મિલકતની માહિતી આપી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારને અટકાવવા માટે આ પ્રકારે મિલ્કતોની માહિતી લેવામાં આવે છે. ત્યારે એએમસીના અધિકારીઓએ પોતાની મિલ્કત જાહેર ન કરતા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ 700 અધિકારીઓ પોતાની મિલ્કતની માહિતી નથી આપી. કારણ કે તેમની પાસે વધુ સંપત્તિ છે તેવી શંકા ઉપજે છે.
જોકે તમામ અધિકારીઓને પોતાની મિલ્કત જાહેર કરવાનો આદેશ કરવામાં આવે. જેથી દરવર્ષે ફેરબદલ થાય તો તેમાં ખબર પડે કે તેમની પાસે કેટલી મિલ્કત છે.