કોરોના સંકટ / ગાઇડલાઇનનો ભંગ થતા હવે નવરાત્રીમાં દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર થઇ શકે છે બંધ, કાલે ટ્રસ્ટની કલેક્ટર સાથે બેઠક

Ambaji temple visitors violation corona guideline navratri

રાજ્ય સરકારે કોરોના વાયરસના કારણે નવરાત્રીમાં ગરબા આયોજનને મંજૂરી નથી આપી. શેરી ગરબા અને પાર્ટી પ્લોટ સહિત તમામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં નવરાત્રીના નવેય દિવસ અંબાજી મંદિરને ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ બે નોરતામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જેને લઇને હવે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ થઇ શકે છે. ટુંક સમયમાં અંબાજી વહીવટી ટ્રસ્ટ આ અંગે નિર્ણય કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ