બનાસકાંઠા: ભાદરવી પૂનમ અંબાજીના મેળાનો આજે પાંચમો દીવસ છે. ત્યારે 16 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા છે. ગબ્બર પર માં અંબાની જ્યોતના સ્થળે લાખો ભક્તો ઉમટ્યા હતા.
વરસાદ અને ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે ભક્તોની શ્રદ્વા અકબંધ જોવા મળી હતી. વર્ષોથી માં અંબાની પ્રાચીન અંખડ જ્યોત વચ્ચે દર્શનનો અનેરો લ્હાવો ભક્તોએ લીધો હતો.
#Ambaji ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દીવસ 16 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા માં અંબાના દર્શન ગબ્બર પર જ્યોત સ્થળે લાખો ભક્તો ઉમટ્યા pic.twitter.com/gQQ7Cz1GrS
આપને જણાવી દઇએ કે આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ત્યારે માંના ભક્તો વિશ્વના કોઈ પણ ખુણેથી મા અંબાના દર્શન કરી શકે અને ધન્ય થઇ શકે તે માટે સ્થાનિક મંદિર ટ્રસ્ટ દ્વાર વિશિષ્ટ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે ભાદરવી પુનમના મેળાના સાત દિવસ દરમિયાન ભક્તોમાંટે અંબાની આરતીના દર્શન ફેસબુક પર લાઈવ કરવામાં આવે છે.
તો આ તરફ વરસાદી વાતાવરણ વચ્ચે માં અંબાના દર્શન કરવા માટે શ્રધ્ધાળુંઓને જમાવડો થઇ રહ્યો છે. ઠેર-ઠેરથી લોકો પગપાળા યાત્રા સંઘમાં કે પછી વાહનો લઇને માં અંબાના દર્શને આવી રહ્યા છે ત્યારે અંબાજી યાત્રાધામ ટ્રસ્ટ દ્વારા પણ જાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...