આપણે રોજ જમવામાં રોટલી ખાઈએ છીએ. મોટાભાગના લોકો ઘઉંના લોટની રોટલી જ ખાતાં હોય છે. જેથી આજે અમે તમને ચોકરયુક્ત લોટની રોટલી ખાવાના ગજબ ફાયદા જણાવીશું.
આવો લોટ સ્વાસ્થ્ય માટે છે ગુણકારી
ચોકરવાળા લોટમાં ફાઇબર અને પોટેશિયમની માત્રા વધુ હોય છે
રોગોથી બચાવે છે આ લોટ
ચોકરવાળા લોટમાં (આટાનું ચળામણ) ફાઇબર અને પોટેશિયમની માત્રા વધુ હોય છે, જેનાથી વજન ઓછું થાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ચોકરવાળા લોટથી બનેલી રોટલી દાળની સાથે ખાવાથી એમિનો એસિડની પૂરતી માત્રા બોડીને મળે છે. જાણો ફાયદા.
કબજિયાત
તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર્સ હોય છે. ચોકરયુક્ત લોટથી બનેલી રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા નથી થતી.
મેદસ્વિતા
જો તમે વધુ જાડા હોવ અને વજન ઉતારવા ઈચ્છતા હોવ તો ચોકરની રોટલી ખાઓ. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને તમે ઓવરઇટિંગથી બચો છો.
ગેસ્ટ્રિક પ્રોબ્લેમ
ચોકરયુક્ત લોટની રોટલી ખાવાથી પેટમાં ગેસ નથી ભરાતો. તેથી જો તમને ગેસની પ્રોબ્લેમ હોય તો પણ તમે નિશ્ચિત થઈને આ લોટ ખાય શકો છો.
કોલેસ્ટ્રોલ
આ લોટની રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ રહે છે. તેનાથી હાર્ટ સંબંધી કોઈ સમસ્યા નથી થતી.
આંતરડાની સમસ્યા
ચોકર આંતરડા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ લોટની રોટલી ખાવાથી આંતરડા સંબંધી કોઈ બીમારી નથી થતી.
ડાયબિટીસ
6 મહિના સુધી રોજ ખાલી પેટ ચોકરયુક્ત લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની સમસ્યા કંટ્રોલ થાય છે.
લોહીનું નિર્માણ
ચોકરમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન અને વિટામિન B હોય છે. તેને ખાવાથી શરીરમાં લોહીનું નિર્માણ થાય છે.
સ્ટ્રોન્ગ મસલ્સ
ચોકરમાં કેલ્શિયમ હોય છે, જે મસલ્સને સ્ટ્રોન્ગ બનાવવામાં મદદ કરે છે. ચોકરનો વધુ ફાયદો મેળવવા માટે તેને રોજિંદી ડાયટમાં સામેલ કરો.