ચાણક્ય નીતિ પ્રમાણે કેટલીક વાતો ફૉલો કરવાથી જીવનમાં ક્યારેય નહી થાય નુકસાન. બધી પરેશાનીઓથી તમે દુર રહેશો.
ચાણક્યનીતિ પ્રમાણે વર્તવુ જોઇએ
3 પ્રકારના લોકોથી દૂર રહેવુ જોઇએ
તેમની મદદ લેવી કે કરવી ન જોઇએ
આચાર્ય ચાણક્ય જેમને કૌટિલ્ય અને વિષ્ણુ ગુપ્તના નામથી પણ જાણવામાં આવે છે તે માત્ર એક કુશળ રાજનીતિજ્ઞ જ નહી પરંતુ એક શિક્ષક, ધર્માચાર્ય, લેખક અને અર્થ શાસ્ત્રી પણ હતા. તે હંમેશા કહે છે કે એવા 3 લોકો છે જેમનાથી હંમેશા ડિસ્ટન્સ રાખવું જોઇએ, નહી તો મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આ શ્લોકનો અર્થ છે કે કોઇ પણ મૂર્ખ શિષ્ય કે વિદ્યાર્થીને શિક્ષા આપવાનો કોઇ અર્થ નથી. દુષ્ટ, વ્યાભિચારીણી સ્ત્રીનું ભરણપોષણ કરનાર વ્યક્તિ પણ દુઃખી થાય છે.
મૂર્ખ વ્યક્તિ
આચાર્ય ચાણક્યએ જે 3 લોકોની વાત કરી છે તેમાં પહેલા નંબર પર મૂર્ખ વ્યક્તિ આવે છે. મુર્ખ વ્યક્તિ કોઇ જ્ઞાન, ઉપદેશ અને સારહી વાતને સમજતો નથી તો તેવા વ્યક્તિની મદદ કરવી કે તેની પાસેથી મદદ લેવી તે બરબાદીના રસ્તે લઇ જઇ રહ્યો છે.
ખરાબ કેરેક્ટરવાળો વ્યક્તિ
જે વ્યકિતનું ચરિત્ર ખરાબ છે તેમનાથી દૂર રહેવામાં જ સમજદારી છે. આવા લોકોની પણ મદદ લેવી કે કરવી જીવનમાં ઘણી સમસ્યાને નોતરે છે. આવા લોકોના સંપર્કમાં રહેનારા લોકોને ઘર પરિવાર અને સમાજ વચ્ચે અપમાનિત થવુ પડી શકે છે.
હંમેશા દુઃખી રહેવાવાળા લોકો
જીવનમાં સૌથી મોટુ સુખ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમે સંતુષ્ટ હોવ છો. જે વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે. આવા લોકોથી હંમેશા દુર રહેવુ જોઇએ. કારણકે આવા લોકોના સંપર્કમાં રહેવાથી તે લોકો બીજાના જીવનની ઇર્ષા કરતા હોય છે અને તેના કારણે તે બીજામાં પણ નેગેટીવીટી ફેલાવે છે.