AMC ના ફૂડ વિભાગ દ્વારા આલ્ફા વન મોલનું KFC સીલ કરાયું હતું. ફૂડ અને પાણીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા હતા. તો રાજકોટમાં પ્રખ્યાત ઈશ્વર ઘૂઘરા વાળાને ત્યાં તપાસમાં વાસી બટાકા માવો,મરચાંની ચટણી માટેના કલર મળી આવ્યા હતા.
આલ્ફા વન મોલ નું KFC સીલ કરાયું
AMC ના ફૂડ વિભાગ ની કાર્યવાહી
રાજકોટમાં પ્રખ્યાત ઈશ્વર ઘૂઘરા વાળાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા
આજના માહમારીના યુગમાં બીમારીઓ ફેલાવાનું સૌથી મોટું કારણ ભેળસેળ યુક્ત ખોરાક અને ફાસ્ટ ફૂડ છે. બજારમાં મળતા બિનઆરોગ્યપ્રદ વાનગીઓને લીધે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યાં છે. જો કે બજારમાં મળતી ખાણી-પીણી લોકોના સ્વાસ્થ્યને નુકશાનકારક છે કે કેમ તે તપાસ કરવા માટે ફૂડ વિભાગ છાશવારે દરોડા પાડી બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓને સ્થળ પર જ નાશ કરે છે અથવા તેને ચેકિંગ અર્થે મોકલી જેતે દૂકાન કે રેસ્ટોરન્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરે છે. ત્યારે રાજકોટ અને અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન નામાંકિત કંપનીઓ અને ખાણીપીણીના ધંધાર્થીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ આવી હતી.
KFC રેસ્ટોરાંમાં આરોગ્ય સાથે ચેડા
અમદાવાદમાં જાણીતા આલ્ફા વન મોલમાં KFC રેસ્ટોરાંમાં આરોગ્ય સાથે ચેડા કરે તેવી વાનગીઓ પીરસાતી હોવાની ફરિયાદ એક ગ્રાહકે AMCના ફૂડ વિભાગમાં કરી હતી. ત્યારબાદ ફૂડવિભાગ દ્વારા તાત્કાલિક આલ્ફા વન મોલમાં પહોંચ્યું હતું અને ત્યાં મળતાં ફૂડ અને પાણીના સેમ્પલ લેબોરેટરી ખાતે ટેસ્ટ માટે મોકલ્યા હતા. KFCનું ફૂડ લેબોરેટરીમાં ફેઇલ થતાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં KFC સીલ કરવામાં આવ્યું હતું.
રાજકોટના ફૂડ વિભાગે પણ સપાટો બોલાવ્યો
બીજી બાજુ રાજકોટના ફૂડ વિભાગે પણ સપાટો બોલાવ્યો હતો અને અનેક રેસ્ટોરાં અને નાસ્તાની લારી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. રાજકોટમાં જાણીતા ઇશ્વર ઘૂઘરા, રામનાથ પરામાં આવેલા કારખાનામાં ચેકિંગ કરતાં અનેક અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. ઇશ્વર ઘૂઘરાવાળાને ત્યાં ખોરાકમાં ભેળસેળ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં વાસી બટાકા માવો, મરચાની ચટણી માટે કલર મળી આવ્યા હતા. તો દાજીયા તેલ સહિતના જથ્થો મળી આવ્યો હતો. તો મીઠી ચટણી 20 કિલો, લાલ ચટણી 5 કિલો સહિત કુલ 145 કિલોના અખાદ્ય જથ્થાને સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો.