કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે કરેલી અરજી મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વનુ છે કે, રાજીનામું ન આપ્યુ હોવાનું અલ્પેશે સોગંધનામું રજૂ કર્યુ છે.
મહત્વનું છે કે આ પૂર્વે અલ્પેશ ઠાકોરે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું અને તેમાં પોતે કોંગ્રેસમાંથી રાજીનામું ન આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે, કોર્ટ અધ્યક્ષના નિર્ણયમાં હસ્તક્ષેપ ન કરે. તો બન્ને પક્ષ તરફથી હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવી ચૂક્યું છે અને આજે હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસમાંથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે થોડા મહિનાઓ પહેલા રાજીનામું આપવાની વિગતો સામે આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પગલે અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામુ રજૂ કર્યું હતું. આ મામલે અલ્પેશ ઠાકોરે પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ન હોવાનું ચોંકાવનારું સોંગદનામું રજૂ કર્યું હતું. આમ અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામા અંગે ગુજરાત HCમાં મોટો ધડાકો કર્યો હતો.
આ મામલે આજે સૂનાવણી હાથ ધરવામાં આવશે. જોકે અલ્પેશ ઠાકોરે પોતાના સોગંધનામામાં કોગ્રેસમાથી રાજીનામું નહી આપવાની વાત કહીને ભાજપમાં જોડાવાની ચર્ચાનો અંત લાવી દીધો છે.