વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં પણ વીડિયોગ્રાફી કરાવાનો આદેશ થયો છે.
વારાણસીમાં જ્ઞાનવાપી કેસ જેવો મથુરામાં કેસ આવ્યો
શ્રીકૃષ્ણજન્મભૂમિ કેસમાં થશે સર્વે
હાઈકોર્ટે આપ્યો આ આદેશ
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં પણ વીડિયોગ્રાફી કરાવાનો આદેશ થયો છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પીષૂષ અગ્રવાલની બેન્ચે આદેશ આપ્યો છે. 4 મહિનામાં વીડિયોગ્રાફી કરાવીને સર્વે રિપોર્ટ હાઈકોર્ટમાં દાખલ કરવાનો રહેશે. એક વરિષ્ઠ વકીલને કમિશ્નર અને બે વકીલની મદદથી સહાયક કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ સર્વે કમીશનમાં વાદી અને પ્રતિવાદીની સાથે સક્ષમ અધિકારીઓ પણ સામેલ થશે.
અરજી કર્તા મનીષ યાદવે કહ્યું કે, વિવાદીત ઢાંચાનો સર્વેની અરજી પર સુનાવણી મથુરા જિલ્લાની કોર્ટમાં એક વર્ષથી અટવાયેલી હતી. આજે હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે, ચાર મહિનાની અંદર અરજી પર નિર્ણય સંભળાવો અને સર્વે કરાવીને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરો. વીડિયોગ્રાફી માટે એક વકીલ કમિશ્નર અને બે સહાયક નિયુક્ત થશે. તેમની સાથે વાદી અને પ્રતિવાદી ઉપરાંત જિલ્લાના તમામ સક્ષમ અધિકારીઓ પણ હાજર રહેશે.
શું છે સમગ્ર મામલો
હકીકતમાં જોઈએ તો, ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાનની વાદી મિત્ર મનીષ યાદવે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદને વિવાદીત પરિસરનું વૈજ્ઞાનિક સર્વે કરાવવા અને દેખરેખ હેઠક કોર્ટ કમિશ્નર નિયુક્ત કરવાની માગને લઈને મથુરા જિલ્લાની કોર્ટમાં ગત વર્ષે અરજી દાખલ કરીહ તી. એક વર્ષથી વધારે સમય વિત્યા બાદ પણ અત્યાર સુધી આ અરજી પર સુનાવણી પુરી થઈ શકી નથી.