ઉત્તર પ્રદેશમાં અન્ય પછાત વર્ગ (OBC)ની 18 જાતિઓને એસસી એટલે કે અનુસૂચિત જાતિ વર્ગની કેટેગરીમાં સામેલ કરવાના મામલે અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે.
ઉત્તર પ્રદેશ સરકારને મોટો ઝટકો લાગ્યો
અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
ઓબીસીની જાતિઓ એસસી વર્ગમાં સામેલ નહીં થાય
ઉત્તર પ્રદેશમાં અન્ય પછાત વર્ગ (OBC)ની 18 જાતિઓને એસસી એટલે કે અનુસૂચિત જાતિ વર્ગની કેટેગરીમાં સામેલ કરવાના મામલે અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે આ મામલામાં જાહેર યુપી સરકારની તમામ નોટિફિકેશનને રદ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે, અખિલેશ યાદવ અને યોગી સરકારે પોતાના કાર્યકાળમાં બે બે નોટિફિકેશન જાહેર કરીને યુપીમાં ઓબીસીની 18 જાતિઓને અનુસૂૂચિત વર્ગમાં સામેલ કરવા માટે ફરમાન જાહેર કર્યા હતા.
ચીફ જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ જેજે મુનીરની ડિવીઝન બેન્ચે તમામ નોટિફિકેશન રદ કરી દીધા છે. કોર્ટે આ તમામ નોટિફિકેશનનો અમલ થાય તે પહેલા રોક લગાવી દીધી છે. ગોરખપુરની સંસ્થા ડો. ભીમરાવ આંબેડકર ગ્રંથાલય અને જન કલ્યાણ સમિતિએ અરજી દાખલ કરી હતી, જે જાહેરહીતની અરજી સંવિધાનના કેન્દ્ર તથા રાજ્ય સરકારોને આવા નિર્ણય લેવાનો કોઈ સંવૈધાનિક અધિકાર ન હોવાના આધાર પર હાઈકોર્ટે નોટિફિકેશન રદ કરી દીધા હતા.
આ અગાઉ 2005માં મુલાયમ સિંહ સરકારે પણ નોટિફિકેશન જાહેર કર્યા હતા. જો કે, બાદમાં આ નોટિફિકેશન પાછા લીધા હતા. અરજીકર્તાએ દલીલ આપી હતી કે, ઓબીસી જાતિઓને એસસી કેટેગરીમાં સામેલ કરવાનો અધિકાર ફક્ત ભારતની સંસદને છે. રાજ્યોને આ મામલે કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી. આ આધાર પર અલ્હાબાદ હાઈકોર્ટે એસસી સર્ટિફિકેટ જાહેર કરવા પર રોક લગાવી દીધી હતી.
5 વર્ષથી રાજ્ય સરકારે દાખલ કર્યું હતું કાઉંટર એફિડેવિટ
5 વર્ષથી રાજ્ય સરકાર તરફથી કાઉંટર એફિડેવિટ દાખલ નથી કરવામાં આવી રહ્યું. વકીલ અજય કુમાર મિશ્રએ કોર્ટને જણાવ્યું છે કે, નોટિફિકેશનને બનાવી રાખવા માટે કોઈ સંવૈધાનિક અધિકાર નથી. આ આધાર પર કોર્ટે ત્રણ નોટિફિકેશન રદ કરી દીધા છે. કોર્ટમાં અરજીકર્તા વકીલ રાકેશ ગુપ્તા તરફથી દલીલ આપવામાં આવી હતી. ઓબીસીની જાતિઓને એસસીમાં સામેલ કરવાનો અધિકાર ફક્ત ભારતની સંસદ છે.