સલમા અંસારીએ કહ્યું કે, આ દેશમાં આ પ્રકારની આ પહેલી મદરેસા હશે કે જ્યાં એક જ જગ્યાએ મંદિર તથા મસ્જિદ હશે. સલમા અંસારી અલીગઢમાં 19 વર્ષથી મદરેસા ચાલી રહી છે. જેમાં છ મોટા દાનદાતા હિંદુ છે. મદરેસામાં 4000 બાળકો અભ્યાસ કરે છે. સલમા અંસારી કે જ્યાંની હોસ્ટેલમાં અભ્યાસ કરનાર હિંદુ બાળકોની સુરક્ષા ખાતર આ મંદિર બનાવી રહી છે.
અલીગઢઃ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી (ex vice president hamid ansari) ની પત્ની સલમા અંસારી (salma ansari) એ સાંપ્રદાયિક એકતાની એક મોટી મિશાલ રજૂ કરી છે. તેઓએ અલીગઢમાં સંચાલિત મદરેસા ચાચા નહેરૂમાં મંદિર-મસ્જિદનું નિર્માણ કરાવવાની જાહેરાત કરી છે.
સલમા અંસારીએ કહ્યું કે, આ દેશમાં આ પ્રકારની આ પહેલી મદરેસા હશે કે જ્યાં એક જ જગ્યાએ મંદિર (temple) તથા મસ્જિદ (madarsa) હશે. સલમા અંસારી અલીગઢમાં 19 વર્ષથી મદરેસા ચાલી રહી છે. જેમાં છ મોટા દાનદાતા હિંદુ છે. મદરેસામાં 4000 બાળકો અભ્યાસ કરે છે. સલમા અંસારી કે જ્યાંની હોસ્ટેલમાં અભ્યાસ કરનાર હિંદુ બાળકોની સુરક્ષા ખાતર આ મંદિર બનાવી રહી છે. બે મહીનામાં મદરેસામાં આ મંદિર બનીને તૈયાર થઇ જશે.
બિજનોરનાં મદરેસામાં હથિયાર મળવા પર તેઓએ કહ્યું કે, આ ખૂબ શરમજનક મામલો છે. કોઇ પણ શરમજનક પ્રકરણથી બચવા માટે ત્યાની સુરક્ષાની જવાબદારી તો મદરેસા સંચાલકોને નિભાવવાની રહેશે.