ઉત્તર પ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા મામલે SIT તપાસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં ઝડપાયેલ આરોપી મોહમ્મદ જાહીદ તથા મોહમ્મદ અસલમે બાળકીના પરિવારથી બદલો લેવા માટે માસૂમની હત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, SIT તપાસના સૂત્રો દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઈ છે. આ હત્યાકાંડમાં વધુ એક આરોપી મેહંદી અને જાહીદની પત્નીએ હત્યા કરવા માટે જાહીદ અને અસલમની મદદ લીધી હતી. હાલ બંન્નેને ઝડપી લેવામાં આવ્યા છે.
મૃતદેહને ફ્રીઝમાં રખાયો હોવાની આંશકા
આપને જણાવી દઇએ કે, યૂપીના અલીગઢમાં એક અઢી વર્ષની બાળકીની હત્યા બાદ સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે. આ મામલે હવે પોલીસે ત્રીજા આરોપી મહેંદીની પણ ધરપકડ કરી છે. આ આરોપી મહેંદી અન્ય આરોપી મોહમ્મદ જાહીદનો ભાઈ છે. ત્યારે હવે આ હત્યાકાંડમાં નવો ખુલાસો સામે આવ્યો છે. હત્યા બાદ બાળકીના મૃતદેહને ફ્રિઝમાં રખાયો હોવાનું સામે આવ્યું છે.
SSP #Aligarh on murder of 2.5 years old girl: 4 people including main accused Zahid & his wife arrested. Body was wrapped in a cloth belonging to Zahid's wife. We've met victim family and they've demanded that the accused should be hanged till death. Charge-sheet to be filed pic.twitter.com/hGek7wrQLe
વકીલે કેસ લડવાની પાડી ના
તો બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે, આરોપીઓના કેસ લડવા માટે કોઈ પણ વકીલ તૈયાર નથી. આરોપીઓના કેસ લડવાથી તમામ વકીલોએ ઈનકાર કરી દીધો છે. અલીગઢ બાર એસોસશિએસન દ્વારા આરોપીઓનો કેસ નહીં લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ મામલે સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે... ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં પણ લોકો રોષ ઠાલવી રહ્યા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી લોકમાગ ઉઠી રહી છે.
શું બની હતી ઘટના?
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશનાં અલીગઢમાં માત્ર ર.પ વર્ષની માસૂમ બાળકીની નિર્મમ અને ક્રૂર હત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. એક ર.પ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરી તેની લાશને કચરામાં ફેંકી દીધી હતી. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બાળકીની હત્યાને લઇને દુઃખ વ્યક્ત કર્યું છે.
આટલી ઘૃણાસ્પદ અને ભયાનક ઘટના પાછળનું કારણ માત્ર રૂ.૧૦,૦૦૦ છે. મૃત બાળકીનાં પિતાએ રૂ.૧૦૦૦૦ ઉછીનાં લીધા હતાં અને તેઓ રૂપિયા ચૂકવી નહીં શકતા આરોપીઓએ તેમની બાળકીનું અપહરણ કર્યું હતું અને ત્રણ દિવસ બાદ તેમનાં ઘરની નજીકની કચરાપેટીમાંથી બાળકીની લાશ મળી આવી હતી.