રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્નને લઈને અત્યાર સુધી ઘણી અટકળો લગાવાઈ રહી હતી. પરંતુ હવે તેમના લગ્નનાં સમાચાર કન્ફર્મ થઇ ગયા છે. આલિયાનાં અંકલ રોબિન ભટ્ટે લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને આલિયા 14 કે 15 એપ્રિલનાં રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આલિયાનાં અંકલ રોબિન બોલિવુડનાં જાણીતા રાઈટર છે અને મહેશ ભટ્ટનાં હાફ બ્રધર પણ છે. તેમણે જણાવ્યું છે કે કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નના ફંક્શન ચાર દિવસ ચાલશે.
અંકલને મળ્યું આમંત્રણ
આલિયા ભટ્ટનાં અંકલે લગ્નનાં સમાચારોને કન્ફર્મ કરતા જણાવ્યું છે કે તેમને લગ્નનું આમંત્રણ પણ મળી ચુક્યું છે. તેમના મુજબ બોલિવુડનાં 'પાવર કપલ' આવતા અઠવાડિયે લગ્નનાં બંધનમાં બંધાઈ જશે. બંનેનાં ફેંસને તેમના લગ્નની આતુરતાથી રાહ છે. જ્યારે આલિયા - રણબીરનાં લગ્નની ચર્ચાઓ શરુ થઇ છે, ત્યારથી જ સોશિયલ મીડિયા પર કપલનાં ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થઇ રહ્યા છે.
મમ્મી નીતૂએ પણ કરી તૈયારી
પુત્ર રણબીરનાં લગ્ન માટે નીતૂ કપૂરે પણ તૈયારીઓ પૂરી કરી લીધી છે અને તેઓ પુત્રવધુ આલિયાનું સ્વાગત કરવા માટે તૈયાર છે. નીતૂ કપૂરે પોપ્યુલર ડિઝાઈનર માનીશ મલ્હોત્રાનાં સ્ટોરથી પોતાના માટે આઉટફિટ પસંદ કર્યા છે.
ક્યારે થશે લગ્ન?
રણબીર - આલિયાનાં લગ્ન 14 અથવા 15 એપ્રિલનાં રોજ થશે. લગ્નના બે દિવસ અગાઉથી જ બંનેનાં ઘરમાં લગ્નના રિવાજો શરુ થઇ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલનાં લગ્નને પ્રાઈવેટ રાખવામાં આવશે, જેથી તસવીરો લિક ન થાય. લગ્ન બાદ રણબીર - આલિયાનું રિસેપ્શન સાંતાક્રૂઝની ગ્રાંડ હયાત હોટલમાં થશે.
હનીમૂન પર નહી જાય કપલ
અમુક રિપોર્ટ્સ અનુસાર, રણબીર - આલિયા લગ્ન બાદ હનીમૂન પર જશે નહી. આજકાલ તેઓ પોતાના ફિલ્મોનાં પ્રોજેક્ટ્સને લઈને ઘણા વ્યસ્ત છે અને એ જ કારણે બંને લગ્ન બાદ પોતપોતાના કામ પર લાગી જશે.