અક્ષય તૃતીયાના પર્વ હિન્દુ ધર્મમાં અનોખું સ્થાન ધરાવે છે. આ વખતે અક્ષય તૃતીયાનું પર્વ 7 મે 2019ના દિવસે ઉજવવામાં આવશે. આ પર્વ હિન્દુ કેલેન્ડર અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના નામથી ઓળખવામાં આવે છે.
અક્ષય તૃતીયાના પર્વ હિન્દુ ધર્મમાં અનોખું સ્થાન ધરાવે છે. આ વખતે અક્ષય તૃતીયાનું પર્વ 7 મે 2019ના દિવસે ઉજવવામાં આવશે. આ પર્વ હિન્દુ કેલેન્ડર અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે લગ્ન-શુભ કાર્ય તથા ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને સર્વસિદ્ધ મુહૂર્ત જેવું શુભ માનવામાં આવે છે. જે રીતે દિવાળીના દિવસને હિન્દુ ધર્મમાં શુભ મુહૂર્ત માનવામાં આવે છે અને લક્ષ્મીની કૃપા પ્રાપ્તી માટે આ દિવસને ખુબ જ વિશેષ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સોના, ચાંદી સહીતની ખરીદીની વિશેષ પરંપરા રહી છે. અક્ષય તૃતીયા પર ગ્રહોનો શુભ સંયોગ
હિન્દુ પંચાગ અને જ્યોતિષાચાર્યો અનુસાર અક્ષય તૃતીયા પર આ વખતે મોટા ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે. પંચાગ મુજબ અક્ષય તૃતીયા પર ચાર મોટા ગ્રહો, સુર્ય, શુક્ર, ચન્દ્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં ઉપસ્થિત રહેશે. આવો યોગ ખુબજ દુર્લભ અને ખુબજ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ પહેલા અક્ષય તૃતીયા પર આવો સંયોગ 2003માં બન્યો હતો. પંચાગ મુજબ આ વર્ષે અક્ષય તૃતીયા પર ચાર મોટા ગ્રહો ઉચ્ચ રાશિમાં રહેશે. આ વખતે અક્ષય તૃતીયા પર બની રહેલો યોગ સુંદર, શુભ અને અદભૂત સંયોગ શુભ ફળ પ્રદાન કરશે. સોના ખરીદવા માટે શુભ મુહૂર્ત
હિન્દુ માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયા પર જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનો ક્યારેય ક્ષય નથી થતો. આ દિવસે સોનું ખરીદવું શુભ મનાય છે. એવી માન્યતા છે કે આ દિવસે જે કોઇપણ વ્યક્તિ શુભ મુહૂર્તમાં પોતાના ઘરે સોનું ખરીદીને લાવે છે તેના ઘરમાં લક્ષ્મીનો સ્થાઇ નિવાસ રહે છે. આ અક્ષય તૃતીયાએ સોનુ ખરીદવાનો શુભ સમય 6:26 વાગ્યાથી 11:47 સુધી છે.