પોતાની અપકમિંગ ફિલ્મ ગુડ ન્યૂઝનના પ્રમોશનમાં દરમિયાન ખિલાડી કુમાર એટલે કે અક્ષયે દેશના ગૃહમંત્રી અમિત શાહને સલાહ આપી દીધી છે.
ખિલાડી કુમારે ગૃહમંત્રી અમિત શાહને આપી સલાહ
અમિત શાહને સલાહ આપતા કહ્યુ કે, ‘’તમે દેશના મહત્વના વ્યકિત છો.’’
જી હા, જાણી ને તમે ચોક્કસથી ચોંકી જશો, પરંતુ અક્ષયે દેશના ગૃહમંત્રીને સલાહ આપી દીધી છે. અક્ષયે એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહને સલાહ આપતા કહ્યુ કે, તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, કારણ કે દેશ માટે તેઓ મહત્ત્વના વ્યક્તિ છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ લઈ ચૂકેલા અક્ષયને મંગળવારના (17 નવેમ્બર) રોજ નવી દિલ્હીમાં આયોજીત એક ઈવેન્ટમાં સવાલ કરવામાં આવ્યો હતો કે શું તેની પાસે અમિત શાહ માટે કોઈ સવાલ છે? જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું, ‘હું અમિત શાહજીને એક વાત કહેવા ઈચ્છું છું. તેઓ મહેરબાની કરીને પોતાની તબિયતનું ધ્યાન રાખે. તેઓ આપણાં દેશના મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે.’
અક્ષયે આગળ કહ્યું હતું, ‘હું તેમને કહીશ કે તેઓ સાંજે 6.30 પછી ભોજન ના લે. આ વાત તેમના માટે ઘણી જ સારી રહેશે. બીજા માટે પણ આ સલાહ લાભકારી છે. આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે કે સૂર્યાસ્ત બાદ કોઈ પણ અન્ન ખાવું જોઈએ નહીં. આ તમારા શરીર માટે ફાયદાકારક છે.’
ખિલાડી કુમારને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે? તેનો જવાબ આપતા કહ્યુ કે, ક્યારેય પણ નહી. ફિલ્મો પસંદ છે અને આ માધ્યમથી હું લોકોને સતત એન્ટરટેઇન કરતો રહીશ. આ સિવાય અક્ષયે રાષ્ટ્રવાદ પર પોતાના વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે દેશે તમને શું આપ્યું તેને બદલે તમે દેશને શું આપી શકો છો? તે વાતમાં તે વિશ્વાસ રાખે છે.
ડિરેક્ટર રાજ મહેતા અને કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મ 27 ડિસેમ્બરના રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં 2 કપલની સ્ટોરી છે. જે IVF ટેક્નોલોજીથી પેરેન્ટ્સ બનવાની તૈયારી કરી રહ્યા છે અને પછી ખબર પડે છે કે તેમના સ્પર્મ એક્સચેન્જ થઇ ગયા છે. આ ફિલ્મ કોમેડી અને મસ્તીથી ભરપૂર છે.