અભિનેતા અક્ષય કુમાર લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે કે, અક્ષય કુમાર પંજાબના ગુરુદાસરપુરથી લડી શકે છે. ત્યારે આજે અક્ષય કુમારે એક ટ્વીટ કર્યું જેમાં તેઓએ કહ્યું કે, એક નવા ક્ષેત્રમાં પગ મુકવા માટે જઇ રહ્યો છું.
અભિનેતા અક્ષય કુમાર લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે કે, અક્ષય કુમાર પંજાબના ગુરુદાસરપુરથી લડી શકે છે. ત્યારે આજે અક્ષય કુમારે એક ટ્વીટ કર્યું જેમાં તેઓએ કહ્યું કે, એક નવા ક્ષેત્રમાં પગ મુકવા માટે જઇ રહ્યો છું. એ કામ જે મેં અત્યાર સુધી ક્યારેય નથીં કર્યું. ઉત્સાહીત છું પરંતુ છોડી ગભરાહટ પણ છે. ત્યારે અક્ષયના આ ટ્વીટ બાદ રાજકીય વાતાવરણમાં ભારે ચર્ચા જાગી છે.
Getting into an unknown and uncharted territory today. Doing something I have never done before. Excited and nervous both. Stay tuned for updates.
જો કે, ખેલાડી અક્ષય કુમારે વધુ એક ટ્વીટ કરીને પોતાનું ચૂંટણી લડવા અંગેની અટકળો પર વિરામ આપી દીધો હતો. તેમણે લખ્યું હતું કે, ટ્વીટ પર દિલચસ્પી દેખાડવા બદલ આભાર અટકળો પર વિરામ લગાડો હું સ્પષ્ટ કહું છું કે, હું ચૂંટણી લડી રહ્યો નથી.
Grateful for all the interest shown in my previous tweet but just clarifying in light of some wild speculation, I am not contesting elections.
ગુરૂદાસપુર સીટ
આ બેઠક વિનોદ ખન્નાના અવસાન ખાલી પડેલ છે. ગત વર્ષે 27 એપ્રિલના રોજ વિનોદ ખન્નાનું નિધન થયું હતું. તેમની પત્ની કવિતાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. વિનોદ ખન્ના 1997માં જોડાયા હતા. 1998માં તેમણે ગુરૂદાસપુરમાં પહેલી વખત ચૂંટણી લડ્યા અને જીત પણ હાંસલ કરી હતી.
1999 અને 2004 ચૂંટણીમાં પણ વિનોદ ખન્નાએ જીત મેળવી હતી. 2009 જો કે તેમણે બેઠક ગુમાવી પડી હતી જો કે, 2014માં તેઓ મોદી લહેરમાં ફરી એકવાર ચૂંટાઇ આવ્યા હતા અને સાંસદ બન્યા હતા.