ઓડિશામાં વાવાઝોડું ફોનીનો ખતરો મંડરાયેલો છે. બૉલીવુડ એક્ટર અક્ષય કુમારે પણ પીડિતોનીમદદ માટે હાથ આગળ લંબાવ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતોનુસાર ખેલાડી કુમારે 1 કરોડની આર્થિક મદદ કરી છે.
ઓડિશામાં વાવાઝોડું ફોનીના કારણે ઘણા જિલ્લાઓને અસર થઇ છે. હવે દેશભરથી લોકો ચક્રવાતની ચપેટમાં આવેલા પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે. બૉલીવુડ એક્ટર અક્ષય કુમારે પણ પીડિતોની મદદ માટે પોતાના હાથ આગળ લંબાવ્યા છે. મળતી માહિતી અનુસાર ખેલાડી કુમારે ઓડિશાના લોકોની મદદ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં એક કરોડનું દાન કર્યું છે.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર. 'આ પહેલી વખત નથી. અક્ષય કુમાર સમાજ કલ્યાણ માટે હંમેશા મદદ કરતો આવ્યો છે. એ સેનાની મદદ હોય કે કેરળ અને ચેન્નાઇમાં આવેલા ભયંકર પૂરના પીડિતોને આર્થિક મદદ આપવાની હોય.'
જો કે હજુ અક્ષય કુમાર તરફથી આર્થિક મદદ આપવાની જાણકારી સામે આવી નથી.
આ વાવાઝોડાના કારણે ઘણા લોકોના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. આ વાવાઝોડાના કારણે રાજ્યની ઇકૉનોમીને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. ઓડિશાની મદદ માટે કેન્દ્ર સરકારે રાજ્યને 1000 કરોડ રૂપિયાની તત્કાળ મદદ આપી છે. તાજેતરમાં જ પીએમ મોદી ચકાસણી કરવા માટે ભુવનેશ્વર પહોંચ્યા હતા.
અક્ષય કુમારાના વર્ક ફ્રંટની વાત કરીએ તો એને રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી સૂર્યવંશીનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય સાથે કટરીના કેફ જોવા મળશે.