તાજેતરમાં જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો દરમ્યાન UP ચૂંટણી વખતે એક સપા સમર્થકે ભાજપના એક સમર્થક સાથે શરત લગાવતા હારી જતા પોતાની બાઇક ગુમાવવાનો વારો આવ્યો હતો.
બાદમાં અખિલેશ યાદવે એવી ગિફ્ટ આપી કે સપા સમર્થક થઇ ગયો ખુશખુશાલ
અખિલેશ યાદવે સપા સમર્થકને આપ્યો એક લાખ રૂપિયાનો ચેક
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જ્યારે પરિણામ આવવાના હતાં ત્યારે UPની ચૂંટણીના પરિણામો દરમ્યાન એક સપા સમર્થકે ભાજપના એક સમર્થક સાથે હાર-જીતની શરત લગાવી હતી. પરંતુ સમાજવાદી પાર્ટીને ચૂંટણીમાં મળેલી હાર બાદ સપા સમર્થક શરત હારી જતા તેને બીજેપી સમર્થકને પોતાની બાઇક દેવી પડી.
આ શરત માટે સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ પણ થયું હતું
તમને જણાવી દઇએ કે, આ શરતને લઇને સપા સમર્થક અને ભાજપ સમર્થક વચ્ચે સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ પણ થયું હતું. આ સાથે જ સપા સમર્થક અવધેશ કુશવાહાએ જણાવ્યું કે, તેને પોતાના એક મિત્ર વ્રજકિશોર સૈની સાથે શરત લગાવી હતી કે જો સપા ચૂંટણીમાં જીતી જશે તો વ્રજકિશોરે પોતાની ટેમ્પો આપવાની રહેશે અને જો ભાજપ જીતશે તો તે પોતાની બાઇક વ્રજકિશોરને આપી દેશે. જો કે, ચૂંટણીના પરિણામમાં સપાની હાર થતા સપા સમર્થકે શરત અનુસાર પોતાની બાઇક ભાજપના સમર્થકને આપવી પડી.
In a bet over UP poll result, SP supporter Awadesh lost his bike to a BJP supporter, said, "After result, I handed over my bike...Akhilesh Yadav called me, can't forget the respect with which he treated me; also gave me a chain (ornament) & told me not to indulge in bets." (15.3) pic.twitter.com/ugkgwxCLdO
જ્યારે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવને આ બાબત અંગેની જાણ થઈ ત્યારે તેઓએ શરત હારી ગયેલા સપા સમર્થકને લખનઉ બોલાવી બાઇકના નુકસાનની ભરપાઈ કરવા માટે એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ સાથે જ એવી સલાહ પણ આપી કે, હવે પછી ક્યારેય આવી શરત નહીં રાખવી.
અખિલેશને મળ્યા બાદ સપા સમર્થક ગદગદ થઇ ગયો
જ્યારે સપાના સમર્થક અવધેશ સિંહે કહ્યું કે, "પરિણામ બાદ મે મારી બાઇક સોંપી દીધી. અખિલેશ યાદવે મને ફોન કરીને બોલાવ્યો, એ દરમ્યાન તેઓએ મારી સાથે જે વ્યવહાર કર્યો હતો તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. મને એક ચેન (ઘરેણું) પણ આપવામાં આવી અને કહ્યું કે, હવે પછી ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની શરત નહીં લગાવવી.' અવધેશે જણાવ્યું કે, 'સપા અધ્યક્ષે મને મારી બાઇક કરતા પણ વધારે કિંમતનો મને ચેક આપ્યો. હવે હું બાઇક ખરીદીને મારું કામકાજ ફરીથી શરૂ કરી શકીશ.'