સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે લખનઉમાં ઉત્તર પ્રદેશ માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ પોતાના આ મેનિફેસ્ટોમાં સમાજવાદી પાર્ટી વચન પત્ર નામ આપ્યું છે.
અખિલેશ યાદવે યુપી વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો
ખેડૂતો અને મહિલાઓ માટે કરી મોટી જાહેરાત
વિદ્યાર્થિનીઓ માટે પણ થઈ મોટી જાહેરાત
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે લખનઉમાં ઉત્તર પ્રદેશ માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ પોતાના આ મેનિફેસ્ટોમાં સમાજવાદી પાર્ટી વચન પત્ર નામ આપ્યું છે. સાથે જ લખ્યું છે કે, 22માં 22 વચન. મેનિફેસ્ટોમાં આપેલા 22 વચનો અખિલેશે એક એક કરીને ગણાવ્યા હતાં.
15 દિવસમાં શેરડીના ખેડૂતોને ચુકવણી થઈ જશે
આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે, અમે સત્ય વચન અને અટૂટ વાયદા સાથે જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, એસપીએ જ્યારે પણ કોઈ વચન આપ્યું તો, તેને સરકાર બનતાં પુરુ કર્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે, તમામ પાક માટે એમએસપી આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી છે કે, જો સરકાર બનશે તો 15 દિવસની અંદર શેરડીના ખેડૂતોને ચુકવણી કરી દેવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીનો મેનિફેસ્ટો સત્યવચન અને અટૂટ વાયદા પર નિર્ભર છે.
મેનિફેસ્ટોની મોટી વાતો
તમામ પાક માટે MSP
શેરડીના ખેડૂતોને 15 દિવસમાં ચુકવણી
ખેડૂતોને ચાર વર્ષની અંદર દેવામુક્ત કરવામાં આવશે, વ્યાજ વગર લોનની સુવિધા
નાના ખેડૂતોને 2 બોરી DAP અને 5 બોરી યુરિયા આપવામાં આવશે