મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ NCP તરફથી અજિત પવાર રાજ્યના ઉપ મુખ્યમંત્રી બનશે. જેને લઇને શક્યતા છે કે શપથગ્રહણમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે એક મંચ પર જોવા મળી શકે છે.
અજિત પવાર બની શકે છે મહારાષ્ટ્રના ડે. સીએમ
મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કોંગ્રસની સરકાર
ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના લેશે શપથ
મંત્રીઓના નામનું એલાન
NCP સાથે જયંત પાટિલ અને છગન ભુજબલ અને શિવસેના સાથે સુભાષ દેસાઈ અને એકનાથ શિંદે મંત્રી પદના શપથ લેશે. કોંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણ મંત્રી પદના શપથ લેશે.
4 કલાક ચાલી બેઠક
NCP-કોંગ્રેસ-શિવસેનાના નેતાઓની બેઠક મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં યોજાઇ હતી. આ બેઠકમાં શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુલે, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, ધનંજય મુંડે, અશોક ચવ્હાણ, અહેમદ પટેલ, પ્રફુલ પટેલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રી મંડળને લઇને ચર્ચા કરવામાં આવી હતી. શિવસેના નેતા એકનાથ શિંદેએ કહ્યું કે બેઠકમાં બધું જ ફાઈનલ થઈ ચૂક્યું છે. કોંગ્રેસ નેતા ખડગેએ કહ્યું કે તમામ મુદ્દાઓ પર નિરાકરણ આવી ગયું છે. જ્યારે પૃથ્વીરાજ ચવાણે કહ્યું કે આવતીકાલે અમે સત્તાવાર જાહેરાત કરીશું.
કોંગ્રેસમાંથી હશે સ્પીકર
NCP નેતા પ્રફૂલ પટેલે કહ્યું કે બેઠકમાં મંત્રીઓના નામ પર ચર્ચા થઈ છે. આ બેઠકમાં ત્રણેય દળોના નેતા વચ્ચે એક મત બન્યો છે. ત્રણેય દળોમાંથી એક કે બે મંત્રીઓ શપથ લેશે. 3 ડિસેમ્બરે બહુમત સાબિત કર્યા બાદ આગળ મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાંથી સ્પીકર હશે અને ડૅપ્યુટી સીએમ અને ડેપ્યુટી સ્પીકર NCPના હશે. વિધાન પરિષદ અને નિગમો માટે પણ સહમતી બની ગઈ છે. આજે રાત્રે મંત્રીઓના નામ પણ અંતિમ મહોર લાગી જશે.