વર્લ્ડ કપ ક્રિકેટ ટીમમાં પસંદગી પહેલા અંજ્કિય રહાણેનુ નામ મીડિયામાં છવાયેલુ રહેતુ હતુ. માનવામાં આવતુ હતુ કે ઇન્ડિયન T-20 લીગ તેની વર્લ્ડ કપની ટિકિટ કપાવી શકે છે, તેનુ ખરાબ પરફૉર્મન્સે તેની છેલ્લા આશાઓ પર પણ પાણી ફેરવી દીધુ. આજ કારણોસર અંજ્કિય રહાણેએ વર્લ્ડ કપ ટીમમાં જગ્યા ના બનાવી શક્યો. હવે તે ભારતીય બેટ્સમેન તરીકે હૈમ્પશેર સાથે રમવા જઇ રહ્યો છે.
ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ બેટ્સમેન અંજ્કિય રહાણે ઇંગ્લિશ કાઉન્ટી હૈમ્પશેરની સાથે જોડાવનાર પહેલો ભારતીય બન્યો છે અને મેથી જૂલાઇ સુધી આ ટીમમાં તરફથી રમાતી 8 કાઉન્ટી મેચમાં ભાગ લેશે. હૈમ્પશેર કાઉન્ટીએ ગુરુવારે પોતાની વેબાસઇટ પર રહાણેના કોન્ટ્રાક્ટની વાત જણાવી, તે સાઉથ આફ્રિકાના અડેન માર્કરામની જગ્યા લેશે જે વર્લ્ડ કપમાં પહેલા પોતાની રાષ્ટ્રીય ટીમમાં જોડાશે.
અંજ્કિય રહાણે હૈમ્પશેરથી જોડાઇનારો પહેલો ભારતીય બેટ્સમેન બન્યાની ખુશી વ્યકત કરી. તેણે કહ્યુ કે, ''હું હૈમ્પશેરની તરફથી રમાનારો પહેલો ભારતીય બન્યો તેણે લઇને ઉત્સાહિત છું. મને આશા છે કે, હું સારુ ફોર્મ આપીશ અને અમારી ટીમ જીત ચોક્કસથી મેળશે. હું BCCIને રમવા માટેની અનુમતિ આપવા માટે આભાર માનુ છું.''
અંજ્કિય રહાણે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમનો સભ્ય છે. BCCI ઇચ્છે છે કે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી સીરિઝમાં ભાગ લેવા માટે તે પહેલા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમે.