બોલિવૂડ એક્ટર અજય દેવગનના પિતા વીરૂ દેવગનના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો.
હવે, અજયે પીએમ મોદીનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે અજય દેવગનના પિતા તથા બોલિવૂડ એક્શન કોરિયોગ્રાફર વીરુ દેવગનનું અવસાન 27 મેના રોજ સવારે કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું હતું.
ટ્વીટ કરીને આભાર માન્યો
My Mother & entire Devgan family are deeply touched & humbled in silence by this thoughtful gesture from our Honourable Prime Minister @narendramodi.
Thank you Sir. 🙏 pic.twitter.com/sJzFRzvMZb
પીએમ મોદીએ વીરૂ દેવગનનું નિધન થતાં અજયની માતા વીણા દેવગનના નામે શોક પત્ર લખ્યો હતો અને નિધન પર પોતાની સંવેદના પ્રકટ કરી હતી. પીએમ મોદીએ વીરૂ દેવગનના બોલિવૂડમાં આપેલા યોગદાનની પ્રશંસા પણ કરી હતી. ત્યારબાદ અજય દેવગને આ પત્રને સોશ્યલ મીડિયામાં શૅર કરીને માતા તથા દેવગન પરિવાર વતી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. અજયે ટ્વીટ કરી હતી, 'મારી માતા તથા પૂરો દેવગન પરિવાર પીએમ મોદીના આ પત્ર પર આભાર વ્યક્ત કરે છે'
અજય દેવગને શનિવાર (પહેલી જૂન)ના રોજ પિતાની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. આ સમયે અજયની સાથે પરિવારના કેટલાંક સભ્યો પણ હાજર રહ્યાં હતાં. અજય દેવગન પિતાની અસ્થિઓનું વિસર્જન કરવા આવવાનો હોવાથી ચાહકોની ભીડ જમા થઈ હતી.