કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન, દેશભરમાં ઓછી આવક ધરાવતા ગ્રાહકોને મદદ કરવા માટે Airtel દ્વારા 2 નવી જાહેરાત કરી છે. પ્રથમ કંપની તેના 8 કરોડ નીચી આવક ધરાવતા ગ્રાહકોને 10 રૂપિયાનો ટોક ટાઇમ આપી રહી છે. આ ટોક ટાઇમનો ઉપયોગ કોલ કરવા અને સંદેશા મોકલવા માટે થઈ શકે છે.
કોરોનાના કહેર વચ્ચે એરટેલની જાહેરાત
8 કરોડ ગ્રાહકોને આપશે 10 રૂપિયાનો ટોકટાઇમ
વતન તરફ જતાં શ્રમિકોને થશે ફાયદો
બીજું, કંપનીએ બધા પ્રીપેડ રિચાર્જની વેલિડિટી 17 એપ્રિલ સુધી વધારી દીધી છે. એટલે કે, જે ગ્રાહકો 14 મી એપ્રિલના રોજલોકડાઉન સમાપ્ત થાય ત્યાં સુધી નવું રિચાર્જ પેક ખરીદી શકશે નહીં, તેઓને નોન સ્ટોપ ઇનકમિંગ સેવાઓનો લાભ મળવાનું ચાલુ જ રહેશે. એરટેલે આ અંગે જાણકારી આપી હતી કે આ લાભ આગામી 48 કલાકમાં 8 કરોડ ગ્રાહકોના ખાતામાં જમા થઈ જશે. ધ્યાનમાં રાખો કે આ પગલું કંપની દ્વારા ઓછી આવક ધરાવતા ગ્રાહકો માટે લેવામાં આવી રહ્યું છે.
શ્રમિકોને થશે મોટો ફાયદો
મીડિયા સાથેની વાતચીતમાં કંપનીએ કહ્યું હતું કે, 'આ 8 કરોડ ગ્રાહકોમાં અસરકારક રીતે એરટેલ નેટવર્કના તમામ વંચિત પરિવારોને આવરી લેશે. આ વિશેષ પગલાંથી ખાસ કરીને સ્થળાંતર કામદારો અને દૈનિક વેતન મેળવનારા શ્રમિકોને લાભ થશે. આ સાથે જ, કંપનીએ કહ્યું છે કે એરટેલ નેટવર્કના બાકીના ગ્રાહકો પહેલેથી ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તેમના ખાતાઓનું રિચાર્જ કરી રહ્યા છે.
એરટેલના ગ્રાહકોને મળશે લાભ
કંપનીએ પ્રેસ રિલીઝમાં એમ પણ કહ્યું છે કે આ તમામ પગલાં દ્વારા એરટેલના ગ્રાહકોને સરકાર દ્વારા આપવામાં આવતી તમામ માહિતીનો એક્સેસ મળતો રહેશે. ઉપરાંત, ગ્રાહકો જેમની સાથે કનેક્ટ થવા માગતા હોય તેની સાથે સરળતાથી શકશે.
સરકારે જાહેર કર્યું છે લોકડાઉન
આપને જણાવી દઈએ કે આ સમયે ભારતમાં કોરોના ફેલાવવાથી બચાવવા માટે સરકારે દેશભરમાં લોકડાઉન કરવાની જાહેરાત કર્યુ છે. આવી સ્થિતિમાં લોકો પોતપોતાના ઘરે છે. આ લોકડાઉન 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે.ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1000 ની સંખ્યાને વટાવી ગઈ છે. આ સમયે ઘરે રહેવું જ સુરક્ષિત છે.