વિકાસની આંધળી દોડમાં પ્રકૃતિનો વિનાશ સર્જાઈ રહ્યો છે. આ વાત આપણે અનેક વાર સાંભળી પણ છે અને ઘણાએ નજરોનજર જોઈ પણ હશે. ઔધોગિક વિકાસનાં કારણે જ્યાં એક તરફ રોજગારીની તકોનું સર્જન થઈ રહ્યું છે તો બીજી તરફ તેનાથી ફેલાતું પ્રદૂષણ માનવજાત માટે ઘાતક બની રહ્યું છે. આ વાતનો પુરાવો જેમ દરેક જગ્યાએથી મળી રહે છે તેમ ગીર સોમનાથનાં સૂત્રાપાડામાંથી પણ મળી રહ્યો છે. અહીં આવેલી જીએચસીએલ કંપની દ્વારા ફેલાતા જળ-વાયુ પ્રદુષણથી માત્ર નાગરિકોને જ નહીં પરંતુ આસપાસની પ્રકૃતિને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે.
(Pic: File Photo)
વિકાસની આંધળી દોડમાં પ્રકૃતિનો વિનાશ સર્જાઈ રહ્યો છે. આ વાત આપણે અનેક વાર સાંભળી પણ છે અને ઘણાએ નજરોનજર જોઈ પણ હશે. ઔધોગિક વિકાસનાં કારણે જ્યાં એક તરફ રોજગારીની તકોનું સર્જન થઈ રહ્યું છે તો બીજી તરફ તેનાથી ફેલાતું પ્રદૂષણ માનવજાત માટે ઘાતક બની રહ્યું છે. આ વાતનો પુરાવો જેમ દરેક જગ્યાએથી મળી રહે છે તેમ ગીર સોમનાથનાં સૂત્રાપાડામાંથી પણ મળી રહ્યો છે. અહીં આવેલી જીએચસીએલ કંપની (GHCL Limited company) દ્વારા ફેલાતા જળ-વાયુ પ્રદુષણથી માત્ર નાગરિકોને જ નહીં પરંતુ આસપાસની પ્રકૃતિને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ત્યારે જોઈએ આ અહેવાલમાં.
કોઈ પણ પ્રકારનું પ્રદુષણ માનવજાત જ નહીં પરંતુ પ્રકૃતિ માટે પણ કેટલુંક ઘાતક હોય છે. સૂકાઈને સાવ ખાખરી ગયેલું આ વૃક્ષ પ્રદૂષણનાં કારણે થતી ઘાતક અસરનો પુરાવો છે. આ ભૂંગળામાંથી નીકળતા ઝેરી ધુમાડા જ્યાં એક તરફ રોજગારીની વાતો ફેલાવી રહ્યાં છે તો બીજી તરફ અનેક નાગરિકોના ફેફસામાં ભળીને તેમને ધીમેધીમે ભરખી રહ્યાં છે. વાયુ પ્રદુષણ (Air pollution) સમસ્યા જેમ વૈશ્વિક છે તેમ ઘરઆંગણે પણ આ ઘાતક ઝેરનું જાણે રોજબરોજ ઉત્પાદન થઈ રહ્યું છે.
ઝેર ઓકતી આ ચીમની સૂત્રાપાડામાં આવેલી જીએચસીએલ કંપનીની છે. આ કંપની આમ તો સોડાએશનું ઉત્પાદન કરે છે. પરંતુ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન તેમાંથી છૂટતા ઝેરી ગેસનાં કારણે આસપાસનાં ઝાડપાન અને વનરાજીને ભારે નુકસાન થઈ રહ્યું છે. સુત્રાપાડામાં આવેલી આ જીએચસીએલ કંપની દ્વારા થતાં વાયુ પ્રદુષણને કારણે આસપાસનાં મોટાભાગનાં વૃક્ષો નાશ પામવાની અણી પર આવી ગયા છે. વૃક્ષોનાં પાંદડાઓ પણ ખરી રહ્યાં છે. નીલગીરી, શરૂ, પીપળો, વડલો, આંબા અને આસોપાલવ જેવા માનવજીવન માટે ઉપયોગી વૃક્ષો તો નષ્ટ થઈ રહ્યાં છે. તો સાથે આપમેળે ઉગી નીકળતો ગાંડા બાવળ તરીકે ઓળખાતો મેક્સિકન બાવળ પણ નાશ પામી રહ્યો છે.
(Pic: File Photo)
કંપની દ્રારા હવામાં છોડાઈ રહેલા આ ઝેરી આ કેમિકલને કારણે સૂત્રાપાડા તેમજ તેની આસપાસનાં કદવાર અને હરણાસા ગામનાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ ફેકટરીનાં કારણે તેમની જમીન બિનફળદ્રુપ બની રહી છે. જમીન સુધારણનાં અનેક પ્રયાસ બાદ પણ જમીન દિવસે ને દિવસે ફળદ્રુપતા ગુમાવી બેઠી છે.
એટલું જ નહીં કંપનીની ચીમનીઓમાંથી ઉડતા કેમિકલને કારણે સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું હોવાનું ગામલોકો જણાવી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું એમ છે કે આ અંગે રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆત કરાઈ છે પરંતુ તેમનાં તરફથી માત્ર ઠાલા આશ્વાસનો જ મળે છે. કોઈ યોગ્ય દિશમાં નિકાલ લાવવા પગલાં હાથ ધરાતા નથી.
ગુજરાત હેવી કેમિકલ કંપનીમાંથી ઉત્સર્જિત થતો વાયુ પ્રદુષણ હાલ તો સ્થાનિક લાકોનાં આરોગ્ય અને આસપાસની કૃષિ માટે ઘાતક બની રહી છે. ખેડૂતોની માંગ એવી છે કે, કંપની દ્વારા ફેલાવાતું પ્રદુષણ સરકાર અથવા વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી અટકાવે. અન્યથા તેઓએ આમરણાંત આંદોલન કરવું પડશે.