ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયિઝ એસોસિએશન (AIBEA)એ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પોતાની માંગ મૂકી છે.
AIBEAએ ગુરુવારે વિત્ત મંત્રીને પત્ર મોકલીને કહ્યુ કે, આગામી બજેટમાં નોકરી કરનારા લોકોને મળતી ઇન્કમ ટેક્સની છૂટની મર્યાદા વધારીને 7.5 લાખ રૂપિય કરવામાં આવે. આ સાથે જ હાઉસિંગ, મેડિકલ અને શૈક્ષિક સેવાઓ પર મળનારી છૂટમાં પણ તેણે અલગ રાખવામાં આવે. આ સિવાય FD પર મળતા વ્યાજને પણ ઇન્કમ ટેક્સમાંથી મુક્ત રાખવાની માંગ કરી છે.
ધનિકો પર લગાવવામાં આવે વધારે ટેક્સ:
AIBEAના જનરલ સેક્રેટરી તરફથી નિર્મલા સીતારમણને મોકલેલા પત્રમાં નવા ટેક્સ સેલ્બનુ વર્ણન કરવામાં આવ્યુ છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, ''7.5 લાખ રૂપિયાથી લઇને 12 લાખ રૂપિયા સુધીની આવક પર 10%, 12 લાખથી 20 લાખ સુધીની આવક પર 20%, 20 લાખથી લઇને 25 લાખ સુધીની આવક પર 25%, 25 લાખથી 1 કરોડ સુધીની વાર્ષિક આવક પર 35% અને 1 કરોડથી વધારેની વાર્ષિક આવકવાળા પર 40% સુધીનો ટેક્સ લગાવવો જોઇએ.'' પત્રમાં લખ્યુ કે, ''ધનિક વ્યકિતઓ પાસેથી વધારે ટેક્સ વસૂલવો જોઇએ.''
વેપારી પાસે ટેક્સ વસૂલવા માટે પગલા લે સરકાર:
AIBEAના જનરલ સેક્રેટરીએ વિત્ત મંત્રીને આગ્રહ કર્યો કે, ''સરકારે વેપારીઓ, વધારે કમાણી કરનાર વ્યકિતગત લોકો-કંપનીઓ, કૉરપોર્ટેટ પાસેથી ટેક્સ વસૂવવા માટે યોગ્ય પગલા લે. ભારતની GDPમાં ટેક્સનું પ્રમાણ સૌથી ઓછું છે. ઇનડાયરેક્ટ ટેક્સની સરખામણીએ ભારતમાં ડાયરેક્ટ ટેક્સની વસૂલી પણ ઓછી છે. ઇનડાયરેક્ટ ટેક્સનો બોજ દેશભરના લોકો ઉઠાવી રહ્યા છે, જ્યારે ઓછી ટેક્સ વ્યવસ્થાને કારણે ધનિક લોકોને ઓછો ડાયરેક્ટ ટેક્સ આપવો પડે છે. સરકારે વિભિન્ન સામનો પર GSTમાં ઘટાડો કરીને ડાયરેક્ટ ટેક્સ ઓછો કરવો જોઇએ અને તંત્ર તૈયાર કરીને ડાયરેક્ટ ટેક્સનો સંગ્રહ વધારવો જોઇએ.''
આ સિવાય બીજા પત્રમાં વિત્ત મંત્રી પાસે માંગ કરતા કહેવામાં આવ્યુ છે કે, ''આગામી બજેટમાં ફ્કિસ ડિપોઝિટ પર મળતા વ્યાજને કરમુક્ત કરવુ જોઇએ.''