રેમડેસિવિર ઇન્જેકશનને લઇને ઝાયડસ દ્વારા મહત્વની જાહેરાત
રેમડેસિવિર ઈન્જેકશન 11 એપ્રિલથી ફરી આપવામાં આવશે
સવારે 8:30થી સાંજે 5:30 વાગ્યા સુધી ઈન્જેક્શન મળશે
રાજ્યમાં સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના મહાનગરમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રેમડેસિવિર ઈન્જેકશનને લઇને ઝાયડસ કંપનીએ મહત્વની જાહેરાત કરી છે. કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઈન્જેકશન 11 એપ્રિલથી મળશે. સવારે 8:30 વાગ્યાથી સાંજે 5:30 સુધી રેમડેસિવિર ઇન્જેકશન મેળવી શકાશે.
ઈન્જેક્શન માટે આટલા પુરાવાની પડશે જરૂર
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મેળવવા દર્દીનો કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ દેખાડવો પડશે. છેલ્લા 7 દિવસમાં ટેસ્ટ કરાવેલા RT-PCRનો રિપોર્ટ માન્ય રહેશે. આ સાથે હોસ્પિટલના રજિસ્ટ્રેશન નંબર સાથે લેટરપેડમાં સ્ટેમ્પ સાથેનું પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. રેમડેસિવિર ઇન્જેકશન માટે કોવિડ દર્દીના આધાર કાર્ડની એક નકલ સાથે રાખવાની રહેશે. તો ઝાયડસ હોસ્પિટલે જાહેર કરેલી નોટિફિકેશનમાં જણાવ્યું કે, એક વ્યક્તિ એક દર્દી માટે જ ઈન્જેક્શન મેળવી શકશે.
સુરતને 12500 ઈન્જેક્શનનો જથ્થો ફળવાયો
સુરતની કિરણ હોસ્પિટલ ખાતે રેમડેસિવિરની અછત વચ્ચે દર્દીના સગાઓની લાંબી લાઈન લાગી હતી. રેમડેસિવિર ઇન્જેક્શન માટે દર્દીના સગાઓની લાઇન લાગી રહી છે. હોબાળો ન થાય તે ધ્યાને લઇ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કિરણ હોસ્પિટલ ખાતે લાઈન એટલા માટે લાગી હતી. કારણ કે, 12500 જેટલા ઈન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.
સાંજે 5 વાગ્યે ઈન્જેક્શનનું વેચાણ શરૂ કરવામાં આવે છે. જો કે, સુરતને ફળવાયેલા 12500 જેટલા ઈન્જેક્શનના સ્ટોકને લઈ રાહતના સમાચાર છે. પરંતુ ઈન્જેક્શનની માગમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. 12500 ઈન્જેક્શનનો જથ્થો ખાલી જતાં ફરી લાઈનો જોવા મળશે. તો બીજી તરફ ભાજપના કાર્યાલય પર પણ સવારે લાઈન જોવા મળી હતી. સી.આર પાટીલે પણ 5 હજાર ઈન્જેક્શનનું મફતમાં વિતરણ કરવામાં આવશે. તેવી જાહેરાત કરાઈ હતી.