અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાની જાણ થતાં જ 15થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
તો હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તો ભીષણ આગના પગલે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.