કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તારીખ 21 અને 22 નવેમ્બરે સંપૂર્ણ કરફ્યુ રહેશે. ત્યારે આ કરફ્યુ દરમિયાન રેલવે અને ફ્લાઇટથી પરત આવતા મુસાફરોને પોલીસ અટકાવી શકશે નહીં. મુસાફરો માન્ય ટિકિટ કે બોર્ડિંગ પાસ બતાવીને પોતાના ઘરે જઇ શકશે.
અમદાવાદમાં 2 દિવસના કરફ્યુની જાહેરાત
રેલવે અને ફ્લાઇટના મુસાફરો માટે રાહતના સમાચાર
ટિકિટ કે બોર્ડિંગ પાસ બતાવીને ઘરે જઇ શકશે
અમદાવાદમાં 2 દિવસ શનિ-રવિ સંપૂર્ણ કરફ્યુનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરફ્યુના નિર્ણય બાદ પોલીસ અલર્ટ થઇ છે. શહેરમાં પોલીસ અને AMC માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. શહેરમાં દવા અને દૂધની દુકાનો સિવાય સંપૂર્ણ બંધ રહેશે. ત્યારે કરફ્યુ દરમિયાન અવરજવર બંધ હોવાથી ફ્લાઇટ અને ટ્રેન મારફતે અમદાવાદ આવતા મુસાફરો મુંઝવણમાં હતા. જોકે રેલવે અને ફ્લાઇટથી આવતા મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. તારીખ 21 અને 22 નવેમ્બરે કરફ્યુ દરમિયાન રેલવે અને ફ્લાઇટથી પરત આવતા મુસાફરો માન્ય ટિકિટ કે બોર્ડિંગ પાસ બતાવીને પોતાના ઘરે જઇ શકશે.
કરફ્યુ દરમિયાન રેલવે સ્ટેશનથી મુસાફરોને ઘરે જવા દોડાવાશે AMTS બસ
અમદાવાદ જતી રાત્રિની તમામ ST બસોના રૂટ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. તો અમદાવાદ શહેરમાં દોડતી AMTS બસને પણ અસર થઇ છે. પરંતુ કરફ્યુ દરમિયાન રેલવે સ્ટેશનથી મુસાફરોને ઘરે જવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. AMTSના 10 રૂટની બસો દોડાવમાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશનથી અલગ અલગ 10 રૂટ પર બસો દોડશે. બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે.
કરફ્યુ પર અમદાવાદ એરપોર્ટની જાહેરાત
અમદાવાદ આવતી, અમદાવદથી ઉપડતી ફ્લાઇટ રાબેતા મુજબ કરફ્યુ દરમિયાન ચાલુ રહેશે. એરપોર્ટ માટેની ટેક્સી સેવા માટે એર ટિકિટ, આઇડી પ્રૂફ સાથે રાખવું.
With regards to the curfew starting at 9PM, we would like all passengers to note:
-There have been no changes made to flight schedule.
-Passengers planning to avail taxi services must carry air tickets/boarding cards & photo ID proof.
લૉકડાઉન દરમિયાન બનાવેલ પદ્વતિ કરફ્યુમાં લાગુ રહેશે
આજે GRP-RPF-AMC દ્વારા રિવ્યુ બેઠક યોજાઇ હતી. GRP-RPF અને AMCની ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રેલવેના મુસાફારોને કરફ્યુ દરમિયાન તકલીફ નહીં પડે. મુસાફર ટિકિટ બતાવશે તો પોલીસ તેમને રોકી શકશે નહીં. લૉકડાઉન દરમિયાન બનાવેલ પદ્વતિ હાલમાં લાગુ રહેશે.
કરફ્યુનું ચુસ્તપણ અમલવારી માટેના આદેશ અપાયા
તો બીજી તરફ કરફ્યુની અમલવારી પહેલા અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ ઉચ્ચ અધિકારિઓની બેઠક યોજાઇ હતી. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની અધ્યક્ષતા આયોજીત બેઠકમાં કરફ્યુની અમલવારી મુદ્દે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં કરફ્યુનું ચુસ્તપણ અમલવારી માટેના આદેશ અપાયા છે. પોલીસ અધિકારીઓએ કરફ્યુનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અપીલ કરી છે. કર્ફયુ દરમિયાન અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત રહેશે. કરફ્યુ દરમિયાન બહાર નીકળનાર સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.