વ્યવસ્થા / અમદાવાદ રેલવે સ્ટેશન પર લોકડાઉન ખુલે તે બાદની પરિસ્થિતિ માટે કરાઈ રહી છે ખાસ વ્યવસ્થા

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનમાં મુસાફરો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે ટિકિટ કાઉન્ટર, પ્લેટફોર્મ, રિઝર્વેશન કાઉન્ટર પર સર્કલ બનાવવામાં આવ્યા છે. હાલમાં કોરોનાના કારણે રેલવે બંધ છે. લોકડાઉન બાદ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે તૈયારીઓ કરાઈ છે. રેલવે સ્ટેશનમાં પ્રવેશ દ્વાર આગળ સેનેટાઈઝર ટનલ પણ બનાવાઈ છે. પ્લેટફોર્મ પાસે પ્રવાસીઓ કઈ રીતે લાઈનમાં ઉભા રહે તે માટે રિહર્સલ પણ કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ