ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે ત્યારે ખાનગી હોસ્પિટલો કોરોના વાયરસને ઈલાજને લઈને બેફામ ફી વસૂલી રહી હતી જેને લઈને અમદાવાદ મનપા દ્વારા કોરોના વાયરસના ઈલાજ માટે ફી નક્કી કરવામાં આવી હતી. વળી 50:50ને આધારે ખાનગી હોસ્પિટલોના 50 બેડ COVID 19 માટે ફાળવવાના હતા ત્યારે ખાનગી હોસ્પિટલોએ મનપાના આ ફરમાનની નોંધ ન લેતા બેડ નથી ફાળવ્યા જે મુદ્દે મનપા દ્વારા 16 હોસ્પિટલોને નોટીસ ફાળવવામાં આવી છે.
અમદાવાદ મનપાની 16 ખાનગી હોસ્પિટલને નોટિસ
સિવિલ અને ક્રિમિનલ લો ભંગ કરતા નોટિસ ફટકારી
હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા 50% બેડ ન સોંપાતા ફટકારી નોટિસ
અમદાવાદ મહાનગરપાલિકા 16 ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. સિવિલ અને ક્રિમિનલ લો ભંગ કરતા નોટિસ ફટકારી હતી. હોસ્પિટલના 50 ટકા બેડ કોવિડ માટે મંગાયા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા 50 ટકા બેડ ન સોંપાતા નોટિસ ફટકારવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા નક્કર પગલા નહી ભરાય તો ફરિયાદ થશે.
શું છે મામલો?
ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે અમદાવાદ મનપાએ ખાનગી હોસ્પિટલમાં સારવારને લઇને મોટો નિર્ણય કર્યો હતો. તંત્રએ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા છે. ખાનગી હોસ્પિટલો બેફામ લાખોના પેકેજથી કોરોનાની દવા કરીને દર્દીઓને લૂંટી ન શકે આ માટે હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને નવી રૂપરેખા સાથે ખાનગી હોસ્પિટલો સાથે હાથ મિલાવીને 50:50ના આધારે ભાવ નક્કી કર્યા છે. એટલે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ સરકારી રહેશે જેનો ખર્ચ સરકાર ભોગવશે, જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકશે. મહત્વનું છે કે એક દિવસ અગાઉ ગુજરાત હાઈકાર્ટે કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ્સ બેફામ ફી નહીં વસૂલી શકે તેવો નિર્ણય આપ્યો હતો.
કોને કોને ફટકારી નોટીસ?
સ્ટર્લિંગ હોસ્પિટલ,
લાઇફ કેર,
સરદાર હોસ્પિટલ
બોડીલાઇન હોસ્પિટલ,
બોપલ ICU એન્ડ ટ્રોમા સેન્ટર
શ્રેય હોસ્પિટલ,
સરવસ્તી હોસ્પિટલ,
સાલ હોસ્પિટલ
રાજસ્થાન હોસ્પિટલ,
SGVP હોસ્પિટલ,
ગ્લોબલ હોસ્પિટલ
સંજીવની હોસ્પિટલ,
કર્ણાવતી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ
સિંધુ હોસ્પિટલ,
સ્ટાર હોસ્પિટલ,
મેડિલિંક હોસ્પિટલ
નક્કી કરાયેલા ભાવ
બેડ
સરકારી બેડ માટે ફી
ખાનગી બેડ માટે મહત્તમ ફી
વોર્ડ
4500
10,000
HDU
6750
14000
આઈસોલેશન + ICU
9000
19000
વેન્ટિલેશન + આઈસોલેશન + ICU
11250
23000
* સરકારી બેડનો ખર્ચ સરકારી તંત્ર ચૂકવશે
શું છે શરતો?
જોકે આ નક્કી કરેલ ફીમાં ડાયાલિસીસની કિંમત ઉમેરાશે નહીં, એક વખત ડાયાલિસીસ માટે 1650 Rs.ચૂકવવાના રહેશે
આ સિવાય આ નક્કી કરેલ ફીમાં Tocilizumab દવા, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની વિઝીટ, સ્પેશિયલિસ્ટ લેબ ટેસ્ટ ની ફી સામેલ કરવામાં આવેલ નથી.
ઉપર નક્કી કરવામાં આવેલ ફીમાં બે ટાઈમનું ભોજન, સવાર-સાંજની ચા અને નાસ્તો મળશે
હાઈકોર્ટના આદેશ બાદ એક્શનમાં તંત્ર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે કોરોનાના દર્દીઓની સારવાર માટે બેફામ નાણા ઉઘરાવતી ખાનગી હોસ્પિટલો હવેથી લાખો રૂપિયાની ઉઘરાણી દર્દીઓ પાસેથી નહીં કરી શકે. આ સાથે હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે, રાજ્ય સરકાર ખાનગી હોસ્પિટલો માટે વ્યાજબી ફી નિર્ધારિત કરે. હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલને ચેતવતા કહ્યું કે ખાનગી હોસ્પિટલ નફો કમાવવાની વૃત્તિ રાખશે તો લાયસન્સ રદ્દ કરવામાં આવશે.